ભારતની બ્લાઇડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશ મહુડકર સહિત મોટી સંખ્યામાં યુવાનો આપમાં જોડાયા
વલસાડઃ આમ આદમી પાર્ટી દ્વારા હાલ જનસંવેદના કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વલસાડના ધરમપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના જાણીતા સેવાભાવી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે, 2021માં રાજ્યના મુખ્યમંત્રી બદલાયા છે, 2022માં ગુજરાતની સરકાર પણ બદલાઇ જશે. સવાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. ભારતની બ્લાઇડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશ મહુડકર સહિત મોટી સંખ્યામાં યુવાનો આપમાં જોડાયા હતા.
મહેશ સવાણીએ કહ્યું ભાજપે આશીર્વાદ યાત્રા કાઢી જ્યારે આમ આદમી પાર્ટીએ જનસંવેદાન મુલાકાત. ભાજપની યાત્રા ચાર-પાંચ દિવસની હતી. જેમાં આશીર્વાદ આપવાવાળા પણ એ જ અને લેવાવાળા પણ એજ. જે પરિવારોએ કોરોનામાં સરકારની બેદરકારીના લીધે સ્વજનો ગુમાવ્યાં છે તે લોકોને સાંત્વના આપવા સાથે મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે અમે જનસંવેદના યાત્રા કાઢી છે.
તેમણે કહ્યું કે, વિકાસના નામની રાજનીતિ કરીને છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. વિકાસ થયો તો છે જ. પેટ્રોલનો ભાવ 56ના બદલે 100 રૂપિયા થયો છે. 250 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હતો ત્યારે બહેનોની આંખોમાં આંસુ વહેતા હતા હવે 950 રૂપિયા થયા છે ત્યારે બનેવીની આંખોમાંથી પણ આંસુડા વહે છે. ખેડૂતો પીડિત છે, યુવાનો બેરોજગાર થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51