ભારતની બ્લાઇડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશ મહુડકર સહિત મોટી સંખ્યામાં યુવાનો આપમાં જોડાયા
વલસાડઃ આમ આદમી પાર્ટી દ્વારા હાલ જનસંવેદના કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વલસાડના ધરમપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના જાણીતા સેવાભાવી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે, 2021માં રાજ્યના મુખ્યમંત્રી બદલાયા છે, 2022માં ગુજરાતની સરકાર પણ બદલાઇ જશે. સવાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. ભારતની બ્લાઇડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશ મહુડકર સહિત મોટી સંખ્યામાં યુવાનો આપમાં જોડાયા હતા.
મહેશ સવાણીએ કહ્યું ભાજપે આશીર્વાદ યાત્રા કાઢી જ્યારે આમ આદમી પાર્ટીએ જનસંવેદાન મુલાકાત. ભાજપની યાત્રા ચાર-પાંચ દિવસની હતી. જેમાં આશીર્વાદ આપવાવાળા પણ એ જ અને લેવાવાળા પણ એજ. જે પરિવારોએ કોરોનામાં સરકારની બેદરકારીના લીધે સ્વજનો ગુમાવ્યાં છે તે લોકોને સાંત્વના આપવા સાથે મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે અમે જનસંવેદના યાત્રા કાઢી છે.
તેમણે કહ્યું કે, વિકાસના નામની રાજનીતિ કરીને છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. વિકાસ થયો તો છે જ. પેટ્રોલનો ભાવ 56ના બદલે 100 રૂપિયા થયો છે. 250 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હતો ત્યારે બહેનોની આંખોમાં આંસુ વહેતા હતા હવે 950 રૂપિયા થયા છે ત્યારે બનેવીની આંખોમાંથી પણ આંસુડા વહે છે. ખેડૂતો પીડિત છે, યુવાનો બેરોજગાર થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16