Sat,20 April 2024,11:34 am
Print
header

શું અમિત શાહ હશે ગુજરાતના આગામી મુખ્યમંત્રી પદના ભાજપના ઉમેદવાર ? અરવિંદ કેજરીવાલના ટ્વીટથી ચર્ચાઓ શરૂ- gujarat post

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેનો પ્રચાર વધારી દીધો છે, અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં અનેક સભાઓ કરી છે, હવે કેજરીવાલના એક ટ્વીટથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. તેમને કહ્યું કે ગુજરાતમાં અમારી પાર્ટી આપ તેજીથી આગળ વધી રહી છે, જેથી ભાજપની ચિંતા વધી રહી છે, આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સવાલ કર્યો કે શું ભાજપ ગુજરાતમાં આગામી સીએમ તરીકે અમિત શાહનું નામ જાહેર કરશે ? શું ભાજપને ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરી પણ પસંદ નથી ? શું ભાજપ ભૂપેન્દ્ર પટેલની કામગીરીથી નારાજ છે ? 

અરવિંદ કેજરીવાલે કોઇ રણનીતિ હેઠળ પણ આ ટ્વીટ કર્યું હોય શકે છે, અનેક વખત તેઓ ગુજરાત આવ્યાં છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને તેમને ભાજપ અને મોદી સરકારની ઝાટકણી કાઢી છે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યાં છે, હવે તેમને અમિત શાહનું નામ લઇને રાજકીય ચર્ચાઓ જગાવી છે,જો કે હાલમાં તો ભાજપે આ મામલે જવાબ આપવાનું ટાળ્યું છે.

રાજકીય નિષ્ણાંતો પણ કેજરીવાલના ટ્વીટથી અચંબામાં મુકાઇ ગયા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત પાછા આવી રહ્યાં છે, તેવા પ્રશ્નો ચર્ચાઇ રહ્યાં છે, નિષ્ણાંતોના મતે અગાઉ અમિત શાહ આનંદીબેન પટેલની જગ્યાએ મુખ્યપ્રધાન બનવા માંગતા હતા. હવે જોવું રહ્યું કે કેજરીવાલના ટ્વીટ બાદ ભાજપ આમ આદમી પાર્ટી અને કેજરીવાલને શું જવાબ આપે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch