Sat,14 March 2026,1:35 am
Print
header

Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ

  • Published By Mahesh patel
  • 2026-02-11 11:10:37
  • /

અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટીમાં ભૂકંપ સર્જાય તેવા અહેવાલ સામે આવ્યાં છે, ખેડૂતો માટે મહિનાઓ સુધી જેલવાસ ભોગવીને બહાર આવેલા આપના કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, તેમને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આપ્યું છે. 

રાજુ કરપડા 2022માં ચોટીલા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. ખેડૂતલક્ષી મુદ્દાઓનું તેઓ નેતૃત્વ કરતા હતા અને આમ આદમી પાર્ટીમાં ખેડૂતો માટે ઘણું કામ પણ કર્યું છે.

બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે તે તેઓએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને કારણે પાર્ટી છોડી છે. અગાઉ પણ આપના નેતાઓ-કાર્યકર્તાઓએ ગોપાલ પર મનમાની કરવાના આક્ષેપો લગાવ્યાં હતા અને હવે વધુ એક મજબૂત નેતાએ આપનો સાથ છોડી દીધો છે. નોંધનિય છે કે રાજુ કરપડા ભાજપમાં જાય તેવી પણ શક્યતાઓ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch