Wed,15 July 2026,12:38 am
Print
header

જે લોકોને હિન્દુ તહેવારો આવતાની સાથે જ ગર્મી ચઢી જાય છે, અમે તેમની ગરમીને..સીએમ યોગીની ગર્જના

  • Published By panna patel
  • 2025-09-27 18:34:47
  • /

ઉત્તર પ્રદેશઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એકવાર તોફાની તત્વો સામે મોટું નિવેદન આપ્યું છે. યોગીએ કહ્યું, કેટલાક લોકો એવા છે જ્યારે પણ કોઈ હિન્દુ તહેવારની ઉજવણી આવે છે ત્યારે કેટલાક લોકોને શાંતિ પસંદ નથી આવતી. તેમને ગર્મી ચઢી જાય છે. અમે જાણીએ છીએ કે તેમની ગરમી કેવી રીતે ઠંડી પાડવી. તેમને ઠંડુ કરવા માટે આપણે ડેંટિગ અને પેંટિંગનો સહારો લેવો પડે છે.

યોગીએ કહ્યું કે લોકોએ પોતાના કાર્યક્રમો તેમની માન્યતાઓ અનુસાર ચલાવવા જોઈએ. કોઈ વાંધો ન હોવો જોઇએ, એક તરફ ઇસ્લામના અનુયાયીઓ મૂર્તિપૂજાનો વિરોધ કરશે પણ બીજી તરફ તેઓ આઈ લવ મોહમ્મદના નામે, શ્રદ્ધાના નામે તોડફોડ કરશે.

આ લોકો શ્રદ્ધાના નામે આગ લગાવશે, રસ્તા પર આવીને નિર્દોષ નાગરિકો પર હુમલા કરશે, દીકરીઓનું જીવન દયનીય બનાવશે અને વેપારીઓની દુકાનોમાં આગ લગાવશે, પોલીસ પર હુમલો કરશે. આવું કરનારાઓને હું સ્પષ્ટ સંદેશ આપું છું કે જો તમે મને છેડશો તો હું તમને જવા નહીં દઉં, તમને ક્યારેય બક્ષવામાં નહીં આવે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, અરાજકતા સહન કરવામાં આવશે નહીં

મુખ્યમંત્રીએ કહ્યું કે દરેકને સન્માન અને સુરક્ષા આપીશું, પરંતુ જો કોઈ તે સન્માન અને સુરક્ષા સાથે છેડછાડ કરવાની હિંમત કરશે તો તેમને છોડવામાં આવશે નહીં, હું ફરી એકવાર કહીશ કે જો કોઈ શેરીઓમાં વિરોધ કરવાની અને ખલેલ પહોંચાડવાની હિંમત કરશે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. નોંધનિય છે કે નવરાત્રીના તહેવારોમાં અનેક જગ્યાએ બે જૂથો વચ્ચે ઘર્ષણના અહેવાલો છે અને આ મામલે હવે રાજનીતિ થઇ રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch