Wed,14 May 2025,2:34 pm
Print
header

પાવાગઢ દર્શન કરીને પરત સુરત જઇ રહેલા પરિવારનો અકસ્માત, ત્રણ લોકોનાં મોત

સુરતનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો

રોડ ઉપરથી કાર બાજુમાં ઉતરી ગઇ અને ઝાડ સાથે અથડાઇ

વડોદરાઃ ધૂળેટીના દિવસે પાવાગઢમાં મહાકાળી માના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કારનો ભયાનક અકસ્માત થયો હતો.વડોદરા નજીક હાઇ વે પર આ અકસ્માત થતા ત્રણ લોકોનાં મોત થઇ ગયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા છે.

સુરતનો પરિવાર અર્ટિગો કારમાં પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયો હતો. પાવાગઢથી પરત ફરતી વખતે કાર હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી અને એક ઝાડ સાથે અથડાઇ હતી.

ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા અને ઘાયલ પાંચ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch