હરિદ્વારઃ ભારતમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ દેશમાં દરરોજ સામે આવતા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન ભાજપ શાસિત વધુ એક રાજ્યએ કોવિડ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે ઉત્તરાખંડમાં 11 મે સવારે 6 વાગ્યાથી 18 મે સુધી કોવિડ કર્ફ્યૂ રહેશે. સવારે 7 થી 10 સુધી ફ્રૂટ, શાકભાજીની દુકાનો, ડેરી ખુલ્લી રહેશે. શોપિંગ મોલ્સ, જીમ, થિયેટર, બાર, દારૂની દુકાનો આગામી ઓર્ડર ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે ઉત્તરાખંડમાં 71,174 એક્ટિવ કેસ છે. 1,63,661 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 3548 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાને કાબુમાં લેવા રાજ્યમાં કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. વર્લ્ડોમીટર પ્રમાણે ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,66,317 નવા કેસ સામે આવ્યાં છે. મોતનો આંકડો પણ 4000 કરતા નીચે ગયો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 3,747 લોકોના મોત થયા છે. આ પહેલા સતત બે દિવસથી કોરોનાના કારણે 4000 કરતા વધારે મોત થઇ રહ્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29