પ્રયાગરાજ: મહાકુંભના પ્રથમ 4 દિવસમાં 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં આસ્થાપૂર્વક સ્નાન કર્યું છે અને પાંચમા દિવસે પણ ભક્તોનો ધસારો ચાલુ છે. ગુરુવારે લાખો શ્રદ્ધાળુઓએ સંગમ કિનારે સ્નાન કર્યું હતું. જ્યારે અન્ય અનેક સંતોના પંડાલમાં પહોંચી આશીર્વાદ લીધા હતા અને કથાઓ સાંભળી હતી. મહાકુંભમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને સંગમ વિસ્તારમાં સર્વત્ર આસ્થાનો માહોલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ભીડને સનાતન ધર્મમાં લોકોની ઊંડી શ્રદ્ધાનું પ્રતિક ગણાવ્યું છે.
દેશ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે
મહાકુંભમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી આવેલા એર ભક્તે જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી મહાકુંભમાં ભાગ લેવાનું સપનું જોતા હતા અને આ વખતે તેમને આ તક મળી છે. તેમને કહ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું ઘણા વર્ષોથી આ મહાકુંભ મેળામાં આવવા માંગતો હતો, પરંતુ આ વખતે મને સમય મળ્યો. મેં મારી જાતને કહ્યું કે હું હવે જતો રહ્યો છું, અને હવે હું અહીં છું. નરસિંહ સ્વામી ઉપરાંત મહાકુંભમાં લાખો વિદેશી પ્રવાસીઓ પણ આવ્યાં છે.
ભક્તો માટે અદ્ભભૂત વ્યવસ્થા છે
મહાકુંભમાં પહોંચેલા ભક્તો માટે ખૂબ જ શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કરવામાં આવેલી ભોજન વ્યવસ્થાથી ભક્તો પણ ખૂબ જ ખુશ દેખાય છે. સુરભિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી સામાજિક સેવા સંસ્થાઓ ભક્તોને માત્ર નાસ્તો અને ભોજન જ પ્રદાન કરતી નથી, પરંતુ તેઓ તેમની સેવામાં પણ વ્યસ્ત છે. આવા ભંડારો ભક્તો માટે મોટી રાહત સાબિત થઈ રહ્યા છે કારણ કે તેમને શુદ્ધ ભોજન માટે અહીં-તહીં ભટકવું પડતું નથી. સારા ખોરાકને કારણે તેઓ કોઈપણ ચિંતા વિના ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લઈ રહ્યાં છે.
મૌની અમાવસ્યાની વિશેષ તૈયારીઓ
મૌની અમાવસ્યા નિમિત્તે વધુમાં વધુ ભક્તો સ્નાન કરે તે માટે યોગી સરકાર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 29મી જાન્યુઆરીએ યોજાનાર મૌની અમાવસ્યાના સ્નાન દરમિયાન 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓની ભીડને સંભાળવા માટે રેલવેએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. રેલવે દ્વારા કરવામાં આવેલી વધારાની વ્યવસ્થાઓથી શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા નહીં થાય.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37