મહારાષ્ટ્રઃ થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં શુક્રવાર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની છે. ઉલ્હાસનગરમાં એક બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડવાથી 7 લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવવામાં આવી રહ્યું છે. સાઈસિદ્ધી બિલ્ડિંગમાં પાંચમા માળનો સ્લેબ સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પડતા આ દુર્ઘટના સર્જાઇ હતી
5 people died after the slab of a residential building collapsed in Ulhasnagar of Thane district. 3-4 people feared trapped. Rescue operation is underway: Thane Municipal Corporation
— ANI (@ANI) May 28, 2021
#Maharashtra pic.twitter.com/DmDGzEL3FX
પાંચમા માળનો સ્લેબ ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડીને નીચે આવીને પડ્યો હતો, દુર્ઘટના સમયે પાંચમા માળ પર અનેક લોકો ઉપસ્થિત હતા.બીજા કોઈ માળ પર લોકો હાજર ન હતા. અત્યાર સુધી 7 મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યાં છે. આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. જેમાં કુલ 29 ફ્લેટ છે. અત્યાર સુધીની મળેલી જાણકારી મુજબ બિલ્ડિંગમાં 26 પરિવારો રહેતા હતા. બીજી તરફ થાણે નગર નિગમનું બચાવ અભિયાન ચાલુ છે.
નોંધનીય છે કે ઉલ્હાસનગરમાં આ બીજી ઘટના સામે આવી છે. આ પહેલા 15 મેના રોજ એક રહેણાંક બિલ્ડીંગની છત પડી ગઈ હતી. જેને કારણે ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોનાં મોત થયા હતા 11 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38