Sat,20 April 2024,5:23 pm
Print
header

Big News- ઉદ્ધવ ઠાકરેએ CM હાઉસ કરી નાખ્યું ખાલી, શિવસેના સરકાર પડી જવાના સ્પષ્ટ સંકેત- Gujarat Post

મુંબઇઃ એકનાથ શિંદે સહિતના 46 જેટલા ધારાસભ્યોના બળવાખોર વલણ પછી હવે મહારાષ્ટ્રની શિવસેના સરકાર પડી જશે તેમ લાગી રહ્યું છે, બળવાખોરો માનવા તૈયાર નથી, જેથી હવે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સીએમ હાઉસ ખાલી કરી નાખ્યું છે, સામાન બહાર લઇ જવાઇ રહ્યો છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનની આ સરકાર ઉથલી જશે તેવું દેખાઇ રહ્યું છે.

ઠાકરે પરિવાર સીએમ હાઉસ ખાલી કરીને માતોશ્રી પહોંચ્યો છે, બીજી તરફ અહીં મોટી સંખ્યામાં શિવસૈનિકો ભેગા થયા છે, જેઓ બળવાખોર ધારાસભ્યો સામે નારાજ દેખાઇ રહ્યાં છે. રશ્મિ ઠાકરે, પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરેએ પિતા સાથે બંગલો છોડી દીધો છે. હવે તેઓ પોતાના નિવાસસ્થાને રહેશે.

ભાજપે શિવસેનાનો આ ખેલ પાડી દીધો હોવાના સ્પષ્ટ સંકેત છે, હવે જોવું રહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપ શું રણનીતિ અપનાવે છે. સામે શિવસેના પણ ચૂપ નહીં બેસે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch