મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કરતા કેંદ્ર સરકાર સાથે જનરલ કન્સેન્ટ કરાર ખત્મ કરી આધિકારીક પત્ર જાહેર કર્યો છે. CBIએ હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ તપાસ શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે સામાન્ય સહમતી પાછી લઈ લીધી છે. ખોટા TRP કેસમાં CBIના કેસ નોંધ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું, સીબીઆઈનો ઉપયોગ રાજનૈતિક ભાવનાથી પ્રેરિત થઈ કરવામાં આવી રહ્યો હોય તેવી આશંકા છે. સીબીઆઈનો રાજકીય ફાયદા માટે દુરપયોગ થાય છે. અનિલ દેશમુખે કહ્યું પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોએ આ પ્રકારનો કરાર ખત્મ કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો ભાજપના નેતાઓએ એક સુરમાં વિરોધ કર્યો છે. પ્રવક્તા રામ કદમે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય તુઘલકી છે. રાજ્ય સરકારને પોતાના દેશની તપાસ એજન્સીની કઈ વાતનો ડર સતાવે છે. પાલઘર સાધુ હત્યાકાંડમાં રાજ્ય સરકાર કંઇ છુપાવતી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુંના કેસની તપાસ CBIને સોંપવા માટે મહારાષ્ટ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો.કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટે તપાસ CBIને સોંપીને મુંબઈ પોલીસને તપાસમાં મદદ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે હાલમાં તો ઉદ્ધવ સરકારે નવો દાવ ખેલીને ભાજપની બધી ચાલ નિષ્ફળ કરી દીધી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29