ઉત્તર પ્રદેશઃ સંભલ શહેરની શાહી જામા મસ્જિદમાં હરિહર મંદિર આવેલું હોવાનો દાવો રજૂ કરાયા બાદ બીજા તબક્કાના સર્વેની શરૂઆત કરવામાં આવી છે. આ વાતની જાણ થતાં જ ટોળાં મસ્જિદ તરફ આવવા લાગ્યાં હતા, જ્યારે ભીડને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પહેલા ધક્કામુક્કી થઈ અને બાદમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
પોલીસે હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અને સામેથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ, આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત તંગ છે. જામા મસ્જિદ અને હરિહર મંદિરના કેસ બાદ શહેરમાં શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. આ જ કેસમાં મંગળવારે એડવોકેટ કમિશનર રમેશ રાઘવ અને વાદીના એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને પ્રતિવાદી પક્ષના ઘણા લોકો હાજર હતા.
શુક્રવારની નમાજ દરમિયાન મુરાદાબાદ અને બરેલી ડિવિઝનના લગભગ 8 જિલ્લાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યાં હતા. ત્યારે સુરક્ષાના કારણોસર જામા મસ્જિદ તરફ જતા તમામ રસ્તાઓ પર પીએસીના જવાનોને વાંસના થાંભલાઓથી બેરિકેડ કરીને તૈનાત કરવામાં આવ્યાં હતા, જેથી લોકોની ભીડ તે દિશામાં ન જઈ શકે.
અચાનક રવિવારે સવારે એડવોકેટ કમિશનર રમેશ રાઘવ તેમની ટીમ સાથે જામા મસ્જિદ પહોંચ્યાં હતા. એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ દળો અને અન્ય અધિકારીઓ સાથે હાજર હતા. આ સમયગાળા દરમિયાન ભારે PAC અને RRF જવાનોને બેરિકેડ્સ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જે તે દિશામાં જતા તમામ લોકોને રોકી રહ્યા હતા અને અચાનક પોલીસ પર પથ્થરમારે કરવામાં આવ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
UP संभल के शाही जामा मस्जिद का सर्वे करने पहुँची जिला प्रशासन की टीम व स्थानीय लोगों के बीच टकराव हो गया।
— Mohammad Irshad (@mdirshadkne) November 24, 2024
दरअसल हिन्दू पक्ष का दावा था यह हरिहर मंदिर है। दावे की सत्यता की जाँच के लिए अदालत ने सर्वे का आदेश दिया था। pic.twitter.com/zktOUMKbv0
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56