નવી દિલ્હીઃ રાજધાનીમાં સરકાર અને વહીવટીતંત્રના ગેરવહીવટને કારણે ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે. ભારે વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાને કારણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલી બે વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થીનું મોત થયું છે. આ ઘટના જૂના રાજેન્દ્ર નગર વિસ્તારમાં બની હતી, જ્યાં રાવ IAS સ્ટડી સર્કલના ભોંયરામાં અચાનક વરસાદી પાણી ભરાવાને કારણે પુસ્તકાલયમાં અભ્યાસ કરતા 35 થી વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.
મોટાભાગની વિદ્યાર્થિનીઓ કોઈક રીતે બહાર દોડી ગઇ હતી, પરંતુ ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે બે વિદ્યાર્થીનીઓ બહાર આવી શકી ન હતી. બાદમાં એક વિદ્યાર્થીના મોતના સમાચાર આવ્યાં હતા. તેમાંથી એકની ઓળખ તેલંગાણાની રહેવાસી તાનિયા સોની, ઉંમર 25 વર્ષ, પિતાનું નામ- વિજય કુમાર, શ્રેયા યાદવ, ઉંમર 25 વર્ષ, નેવિન ડાલ્વિન, 28 વર્ષ તરીકે ઓળખ થઈ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ભોંયરામાંથી પાણી કાઢ્યું હતું. ઘટના સ્થળની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા.
ડીસીપી સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એમ હર્ષ વર્ધનના જણાવ્યાં અનુસાર, રાવ આઈએએસ સ્ટડી સર્કલ બડા બજાર માર્ગ, જૂના રાજેન્દ્ર નગરના 11-બીમાં છે. સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ બીજા અને ત્રીજા માળે લેવામાં આવે છે. કોચિંગ સેન્ટરમાં સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ભોંયરામાં એક લાઇબ્રેરી છે, જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા રહે છે.
ભોંયરામાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું
શનિવારે સાંજે ભોંયરામાં આવેલી લાઇબ્રેરીમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. સાંજે ભારે વરસાદને કારણે કોચિંગ સેન્ટરની સામેના મુખ્ય માર્ગ પર પાણી જમા થઈ ગયું હતું. રસ્તા પર કેટલાય ફૂટ પાણી જમા થઈ ગયું હતું, જે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવવા લાગ્યું હતું. તે દરમિયાન એક ઝડપી થાર પસાર થવાને કારણે દબાણને કારણે ભોંયરાનો ગેટ તૂટી ગયો હતો, જેના કારણે પાણી ભોંયરામાં વહેવા લાગ્યું હતું. નજીકની ગટરનું પાણી પણ ભોંયરામાં ઓવરફ્લો થવા લાગ્યું, જેના કારણે ભોંયરામાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું હતું.
એક છોકરો અને બે છોકરી ફસાઈ ગયા હતા
કોઈક રીતે બાકીના વિદ્યાર્થીઓ નીકળી ગયા હતા, પરંતુ એક છોકરો અને બે છોકરી ફસાઈ ગયા હતા. શરૂઆતમાં કોચિંગ સેન્ટરના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને બચાવવાની કોશિશ કરી હતી, આ ઘટના અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ભોંયરામાં અંધારું હોવાથી બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલી પડી હતી. સ્થિતિ વણસતી જોઈને NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. પંપની મદદથી ભોંયરામાંથી પાણી કાઢવા ઉપરાંત એનડીઆરએફના ડાઇવર્સ બેઝમેન્ટમાં ઘૂસી ગયા અને વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી હતી. આ પછી થોડી જ કલાકોમાં વિદ્યાર્થીનીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
6 લોકોનાં મોત, જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગુજરાતનાં શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો | 2025-11-16 11:49:11
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, અનેક હસ્તીઓ રહી ઉપસ્થિત | 2025-11-15 18:46:33
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45