વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવાર, તા. 26 ડિસેમ્બર, 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ 26 ડિસેમ્બર, 2024થી 1 જાન્યુઆરી, 2025 સુધી સમગ્ર દેશમાં 7 દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઇ છે. આ સમયગાળા દરમિયાન, જ્યાં પરંપરાગત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને તમામ સત્તાવાર કાર્યક્રમો સ્થગિત રહેશે.
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે થશે, જેની સત્તાવાર જાહેરાત શુક્રવારે થવાની અપેક્ષા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર બીજા દિવસે કરવામાં આવશે. અમે સત્તાવાર જાહેરાત કરીશું. મનમોહન સિંહના નિધનને દેશ માટે દુઃખદ ક્ષતિ ગણાવતા તેમણે કહ્યું કે મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું વાસ્તવિક પ્રતીક હતા.
કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યાં અનુસાર આ દિવસ દેશ અને કોંગ્રેસ માટે ખૂબ જ દુઃખદ છે.તેઓ આ દેશના વહીવટકર્તાઓમાંના એક હતા. જ્યાં સુધી કોંગ્રેસની વાત છે, અમે અમારા મહાન નેતાઓમાંના એકને ગુમાવ્યાં છે. 10 વર્ષ માટે પ્રધાનમંત્રી અને 5 વર્ષ માટે નાણાં મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુશાસનનું પ્રદર્શન કર્યું હતું. આ દેશ માટે મોટી ખોટ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#WATCH | Delhi | PM Narendra Modi pays last respects to late former PM Dr Manmohan Singh and offers condolences to his family pic.twitter.com/7vn1PB1Xdj
— ANI (@ANI) December 27, 2024
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થરમારો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ | 2025-01-18 18:56:50
શું ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢશે ? અમિત ચાવડાનું ટ્વિટ- Gujarat Post | 2025-01-18 18:39:12
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
મુંબઈ પોલીસે સૈફ પર હુમલાના આરોપીને સાથે રાખી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો, જુઓ વીડિયો | 2025-01-21 11:02:04
Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યો Bigg Boss 18 નો વિજેતા, જીતી આટલી મોટી રકમ અને ટ્રોફી | 2025-01-20 09:35:53
પ્રયાગરાજના મહા કુંભ મેળામાં લાગી આગ, અનેક ટેન્ટ થયા બળીને ખાખ | 2025-01-19 16:53:05