ઢાંકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પછી પણ બાંગ્લાદેશમાં હિંસા યથાવત છે. પૂર્વ બાંગ્લાદેશમાં રવિવારે એક કટ્ટરપંથી ઇસ્લામવાદી જૂથના સભ્યોએ હિન્દુ મંદિરો અને એક ટ્રેનમાં હુમલો કર્યો છે, પોલીસ અને એક સ્થાનિક પત્રકારે કહ્યું કે વડાપ્રધાન મોદીની મુલાકાત પછી દેશભરમાં હિંસા ફેલાઈ ગઈ છે. સ્થાનિક પોલીસ અને ડોક્ટરોએ કહ્યું છે કે પીએમ મોદીની મુલાકાત વિરુદ્ધ ઇસ્લામવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શન દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં શુક્રવારથી લઈ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. પીએમ મોદીના ગયા પછીથી હિંસા વધી છે
રાજધાની ઢાકામાં હજારો લોકો પર પોલીસે ટીયર ગેસનાં સેલ અને રબરની બુલેટનો ઉપયોગ કર્યો હતો જેને કારણે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા, શનિવારે હજારોની સંખ્યામાં લોકો ઢાકા અને ચટગાંવનાં માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી પડ્યા હતાં, રવિવારે હિફાજત-એ-ઇસ્લામ સંગઠનનાં કાર્યકરોએ પૂર્વ બાંગ્લાદેશનાં બ્રાહ્મનબરિયામાં એક ટ્રેન પર હુમલો કર્યો હતો જેમાં 10 લોકો ઘાયલ થયા છે.
પીએમ મોદી શુક્રવારે ઢાંકામાં બાંગ્લાદેશની 50 મી વર્ષગાંઠ નિમિત્તે પહોંચ્યા હતા વડાપ્રધાન શેખ હસીનાને આશરે 12 લાખ કોવિડ -19 રસીના શોટ ભેટ કર્યાં બાદ તેઓ શનિવારે રવાના થયા હતા. મોદીએ અહી કાલી મંદિરમાં પણ દર્શનાર્થે પહોંચ્યાં હતા બીજી તરફ વિરોધીઓએ પીએમ મોદી પર ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવપૂર્ણ નીતિઓનો આરોપ લગાવ્યો હતો.
સ્થાનિક સંવાદદાતાનું કહેવું છે કે કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. મોદીની બાંગ્લાદેશ મુલાકાતના વિરોધ બાદ આ સંગઠને રવિવારે બંધનું એલાન કર્યું હતું હુમલાખોરે કથિત રીતે ભૂમિ કાર્યાલય, સાર્વજનિક પુસ્તકાલય અને જિલ્લા શિલ્પકલા અકાદમી સહિતની કેટલાંક સરકારી અને ખાનગી ભવનોમાં આગચંપી કરી હતી. સાથે જ અનેક મંદિરોમાં પણ તોડફોડ કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44