Thu,25 April 2024,9:55 am
Print
header

મેવાણી સહિત આ ધારાસભ્યોએ પાટીદારોની જેમ અન્ય સમાજ પરના કેસ પરત ખેંચવાની કરી માંગ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ જીગ્નેશ મેવાણી ટ્વિટર)

વડગામઃ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે વાવમાં યોજાનારા જન વેદના સંમેલનને લઈને પત્રકાર પરિષદ કરી હતી.આંદોલન વખતે પાટીદાર સમાજ પર પોલીસ કેસ થયા હતા, તેમાંથી ઘણા કેસ પરત લેવાયા છે.ત્યારે હવે આ ધારાસભ્યોની માંગણી છે કે ગુજરાતમાં સર્વ સમાજ છે સરકાર પણ સર્વ સમાજની છે ત્યારે જેમાં સરકાર ફરિયાદી હોય તેવા અન્ય સમાજના યુવાનો પરના કેસ પાછા ખેંચવામાં આવે.

ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન અને ત્યાર બાદ થયેલા વિરોધ પ્રદર્શન અને તોફાનોમાં પાટીદારો સામે કરેલા કેસ પાછા ખેંચ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ માંગ કરી છે કે જેમ પાટીદારો પરના કેસ પરત ખેંચાયા, તેમ અન્ય સમાજના લોકો પરના કેસ પરત ખેંચવા જોઈએ. આ ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ચૂંટણી પહેલાં તેમની માંગ નહીં સંતોષાઈ તો આ આંદોલન રાજ્યસ્તરે લઇ જવામાં આવશે. 

પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સહિત અનેક યુવાનો સામે કેસ થયા હતા. જેમાંથી અનેક કેસ પરત ખેંચવામાં આવ્યાં છે. હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસ છોડી દીધી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા કેસ પરત ખેંચવાની માંગ કરીને ભાજપ સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરાયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch