Wed,15 July 2026,12:15 am
Print
header

ગુજરાત સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને વીજ લાઈનની બમણા દરે સહાય મળશે

  • Published By dilip patel
  • 2026-07-03 18:35:19
  • /

ખેડૂતોના આંદોલન સામે સરકારે ઝુકવું પડ્યું 

રાજ્ય સરકારની મોટી જાહેરાત

ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના થશે, ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર આ કમિટીમાં હશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત રજૂઆતોને કારણે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂતોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં રાખીને હવે જંત્રીના દરને બદલે જમીનના વર્તમાન બજારભાવના આધારે વળતર ચૂકવવામાં આવશે. હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે 10-15 દિવસમાં નિર્ણય લઈને ખેતરમાં વીજપોલ ઉભા કરવા પાછળ વીજપોલ પેટે ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરની રકમ નક્કિ કરશે.

નોંધનિય છે કે મોરબીના જેતપુરમાં ખેડૂતો સરકારની નીતિઓ સામે ઉપવાસ પર બેઠા છે. પોતાના ખેતરોમાં કંપનીઓના વીજ ટાવરને લઇને ખેડૂતો પરેશાન છે, તેમના પાકનું અને જમીનનું યોગ્ય વળતર ન મળતા તેઓ સરકાર સામે આંદોલનના માર્ગે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch