Sat,20 April 2024,1:48 pm
Print
header

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક આપણી વચ્ચે નથી રહ્યાં

છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીની ચાલી રહી હતી સારવાર 

મુંબઇઃ પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનો ફેમસ રોલ કરીને સૌ કોઇનું દિલ જીતી લેનારા ઘનશ્યામ નાયક આપણી વચ્ચે નથી રહ્યાં. 77 વર્ષની ઉંમરે મુંબઇમાં આજે તેમનું નિધન થઇ ગયું છે, તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને મુંબઇની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમનું કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાયું હતુ 

ઘનશ્યામ નાયકે અનેક ગુજરાતી ફિલ્મો, નાટકોમાં કામ કર્યું છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેમનું નટુકાકાનું પાત્ર દર્શકોને ખુબ જ ગમ્યું હતુ, તેમના નિધનથી સિરિયલની પુરી ટીમ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોક છવાઇ ગયો છે. કલાકારો તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch