Thu,25 April 2024,3:50 am
Print
header

તારક મહેતાના નટુકાકાનો પાર્થિવદેવ પંચ મહાભૂતોમાં વિલીન, જેઠાલાલ-ટપુ રહ્યાં હાજર

મુંબઈઃ સબ ટીવી પરથી પ્રસારિત થતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકા તરીકે જાણીતા ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયકનું ગઈકાલે નિધન થયું હતું. આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા સવારે સાડા આઠ વાગ્યે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી હતી.કાંદિવલીના દહાનુકર વાડીના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમના સભ્યો હાજર રહ્યાં હતા. તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલ (દિલીપ જોશી), ભવ્ય ગાંધી (ટપુડો), સમય શાહ (ગોગી) મુનમુન દત્તા (બબીતા) અને શોના પોડ્યુસર અસિત મોદી હાજર રહ્યાં હતા. નટુકાકાનું રવિવારે સાંજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch