Sat,20 April 2024,9:36 pm
Print
header

શિક્ષક બનવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર, મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હીઃ શિક્ષક બનવાની ઇચ્છા રાખનારા ઉમેદવારો માટે શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ (TET)ની 7 વર્ષની સમયમર્યાદા ખતમ કરી નાંખી હતી. હવે આ પ્રમાણપત્રને જીવનભર માટે એટલે કે લાઇફટાઇમ કરવાની જાહેરાત કરવામાં આવી છે

શિક્ષણ મંત્રાલય (Education Ministry) દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2011થી ટીઇટી (Teachers Eligibility Test) ની લાઇફટાઇમ સમયમર્યાદા લાગુ થશે. એટલે કે જે ઉમેદવારોએ 2011મં ટીઇટી પાસ કરી છે, તેમનુ ટીઇટી સર્ટિફિકેટ હવે લાઇફટાઇમ વેલિડ રહેશે. સરકારી સ્કૂલોમાં શિક્ષકની નોકરી મેળવવા માટે ટીઇટી પાસ કરવી જરૂરી છે. પહેલા ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટની વેલિડિટી (TET Certificate Validity) ફક્ત 7 વર્ષ સુધી જ હતી, એટલે કે કોઇ ઉમેદવારે વર્ષ 2011માં ટીઇટી પાસ કરી છે, તો તેનુ સર્ટિફિકેટ 2018 સુધી જ માન્ય ગણાતુ હતુ. તે દરમિયાન તે સરકારી શિક્ષકની નોકરી માટે એપ્લાય કરી શકતો હતો.પરંતુ હવે સમય મર્યાદાની બાધ્યતાને ખતમ કરી દેવામાં આવી છે. તમારુ ટીઇટી પ્રમાણપત્ર હવે જીવનભર માન્ય રહેશે.જોકે વર્ષ 2011થી પહેલા ટીઇટી પાસ કરનારા ઉમેદવારો માટે આ નિયમ લાગુ નહીં થાય.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch