Fri,19 April 2024,11:34 pm
Print
header

શું મજબૂરી હશે ? સુરતમાં માતાએ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવ્યું અને બાદમાં પોતે પણ પીતાં બંનેના મોત- Gujarat Post

(મૃતક મહિલાની તસવીર)

કાપોદ્રામાં ઝડફિયા સર્કલ પાસે માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળ્યાં

સારવાર અર્થે ખસેડ્યાં બાદ બંનેના મોત

પુત્ર રડતો હોવાથી પત્ની કચરો નાંખવાનું કહી બહાર નીકળ્યાં બાદ ભર્યું પગલું

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ચકચારભરી ઘટના બની છે. સુરતમાં માતાએ પોતાના એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી આપઘાત કરી કરી લેતા ચકચાર મચી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ પાસેથી માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં, જે બાદ તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યાં હતા. જ્યાં બંનેને મૃત જાહેર કરાયા હતા.

વરાછા શિવધારામાં રહેતા જીગ્નેશ ગજેરા હીરાના કારખાના કામ કરતાં હોવાથી નિત્યક્રમ મુજબ કારખાને ગયા હતા. બપોરના સમયે તેમની 30 વર્ષની પત્ની ચેતના ગજેરા એક વર્ષના નાના પુત્ર અંશને લઈ ઘરેથી નીકળી ગઈ હતી. પડોશીને અંશ રડતો હોવાથી બહાર કચરો નાખવાને બહાનું કાઢ્યું હતું. જે બાદ તેઓ ઘરે પાછા ફર્યાં ન હતા.

કારખાનેથી જીગ્નેશ ગજેરા ઘરેથી પરત આવ્યા ત્યારે ઘરમાં ન તેમનો પુત્ર હતો ન પત્ની જેથી તાત્કાલિક આસપાસ પાડોશમાં તપાસ કરી હતી. મોડી રાત સુધી કોઈ ભાળ ન મળતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યાં હતા જેમની જીગ્નેશભાઈ ઓળખ કરી લીધી હતી.

પરિવારના જણાવ્યાં અનુસાર ઘણા સમયથી મૃતક ચેતનાબેનનો સ્વભાવ તામશી થઈ ગયો હતો. બે-ત્રણ વર્ષ પહેલા પણ તેમનું માનસિક સંતુલન ખોરવાયું હતું. હાલ કોઈ પારિવારિક સમસ્યા કે ઝઘડો ન હતો. માનસિક સંતુલન ગુમાવી દેતાં પગલું ભર્યાની પરિવારે અંદેશો વ્યક્ત કર્યો છે. ઘટના સામે આવ્યા બાદ લોકો આમાં માસુમનો શું વાંક તેવી ચર્ચા કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch