મધ્યપ્રદેશઃ મૌગંજ જિલ્લાના મગનિયા ગામની વિદ્યાર્થીની આકાંક્ષા ચતુર્વેદીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. તેના પરિવારનો આરોપ છે કે તે NEET ની તૈયારી કરી રહી હતી. તેને તાજેતરની પરીક્ષામાં 650 ગુણ મેળવવાની આશા હતી, પરંતુ પેપર લીક અને પરીક્ષા રદ થયા પછી, તે હતાશ થઈ ગઈ અને તેણે આ પગલું ભર્યું હતું, જેનાથી આખા પરિવારને આઘાત લાગ્યો છે.
આકાંક્ષાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં, તેણે તેના કિસાન ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 3 લાખની લોન લીધી હતી. તેનો પરિવાર નાગપુરની એક ખાનગી કોચિંગ સંસ્થામાં તેને તૈયારી કરવામાં મદદ કરી રહ્યો હતો.
પિતા કૃષ્ણ કુમાર ચતુર્વેદી ખેડૂત છે, પરંતુ તેમની પુત્રીને ભણાવવા માટે માટે નાગપુરમાં રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાં તેને ભણાવી રહ્યાં હતા. જ્યારે NEET પરીક્ષા યોજાઈ ત્યારે આખા પરિવારને વિશ્વાસ હતો કે આ વખતે તેની પસંદગી થશે અને તેમની પુત્રી ડૉક્ટર બનશે, પરંતુ પેપર લીક થયા પછી, તે ડિપ્રેશનમાં ગઈ અને આખા પરિવારે બધી ખુશી ગુમાવી દીધી.
Sorry, મમ્મી અને પપ્પા... મારામાં હવે હિંમત નથી
ઘટના સ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું, Sorry, મમ્મી- પપ્પા, તમને વિશ્વાસ હતો કે મારી દીકરી ભણીને ડૉક્ટર બનશે, પણ મારામાં ફરીથી NEET પરીક્ષા આપવાની હિંમત નથી. મેં તમને બંનેને બરબાદ કરી દીધા છે. કોઈ ગેરંટી નથી કે હું ફરીથી સારું કરીશ.
NEET પેપર લીક કેસ
NEET UG 2026 પરીક્ષા રદ થવાથી દેશભરના લાખો ઉમેદવારોને મોટો ફટકો પડ્યો છે. 3 મેના રોજ પરીક્ષા યોજાયા બાદ પેપર લીક થવાની શંકા સામે આવી હતી. NTA અનુસાર, 7 મેના રોજ સાંજે પરીક્ષામાં ગેરરીતિઓ નોંધાઈ હતી, ત્યાર બાદ તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવી હતી. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ, 15 મેના રોજ, શિક્ષણ મંત્રાલય અને NTA એ જાહેરાત કરી હતી કે ફરીથી પરીક્ષા 21 જૂનના રોજ લેવામાં આવશે. CBI સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, અને અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39