અબુજા: નાઇજીરીયન સેનાએ નરસંહાર શરૂ કરી દીધો છે. ઉત્તરપૂર્વીય અદામાવા રાજ્યમાં કોમી અથડામણોનો સામનો કરવા માટે સેના દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો વિરોધ કરી રહેલી મહિલાઓ પર સૈનિકોએ ગોળીબાર કર્યો છે. ગોળીબારમાં 9 મહિલાઓના મોત થયા છે. પીડિતોના સાક્ષીઓ અને સંબંધીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે મહિલાઓ અદામાવાના લામુર્ડે વિસ્તારમાં મુખ્ય રસ્તા પર વિરોધ કરી રહી હતી ત્યારે સૈનિકોને રસ્તા પર અટકાવતા ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.
નાઇજિરિયન સેનાએ શું કહ્યું ?
નાઇજિરિયન સેનાએ કોઈની હત્યાનો ઇનકાર કર્યો હતો. જો કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નાઇજીરીયા કાર્યાલયે જણાવ્યું હતું કે એજન્સીએ પુષ્ટિ કરી છે કે સૈનિકોએ 9 પ્રદર્શનકારીઓને મારી નાખ્યા છે,
નાઇજીરીયામાં પહેલા પણ આવી ઘટનાઓ બની છે
નાઇજીરીયામાં આવી હત્યાઓ સામાન્ય છે, જ્યાં વિરોધ પ્રદર્શનો અને અથડામણોના જવાબમાં તૈનાત સૈનિકો પર ઘણીવાર વધુ પડતા બળપ્રયોગનો આરોપ મૂકવામાં આવે છે. 2020 માં નાઇજીરીયાના આર્થિક કેન્દ્ર લાગોસમાં પોલીસ ક્રૂરતા સામેના વિરોધ પ્રદર્શનો ત્યારે સમાપ્ત થયા જ્યારે સૈનિકોએ વિરોધ સ્થળ પર ગોળીબાર કર્યો હતો, આ ઘટનાને સરકાર દ્વારા નિયુક્ત તપાસ પંચ દ્વારા હત્યાકાંડ તરીકે વર્ણવવામાં આવી હતી.
વિરોધીઓ શેના પર ગુસ્સે હતા ?
લાંબા સમયથી ચાલતા જમીન વિવાદને લઈને અદામાવામાં બાચામા અને ચોબો વંશીય જૂથો વચ્ચે સતત અથડામણો બાદ લામુર્ડેમાં અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુ વચ્ચે તાજેતરની ઘટના બની હતી. લામુર્ડેનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર લોસન ઇગ્નાટીયસના જણાવ્યા અનુસાર, વિરોધીઓ નારાજ હતા અને અહીં કર્ફ્યૂનો અમલ થઇ રહ્યો ન હતો.
નાઇજીરીયન આર્મી તપાસ હેઠળ
આ હત્યાઓ એવા સમયે થઈ છે જ્યારે નાઇજીરીયન આર્મી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તપાસ હેઠળ છે. ટ્રમ્પે કહ્યું છે કે નાઇજીરીયાના સુરક્ષા સંકટમાં ખ્રિસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે અને સુરક્ષા દળો હત્યાઓને રોકવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યાં નથી. રહેવાસીઓનું કહેવું છે કે ગામડાઓમાં ફેલાયેલી હિંસાથી ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બંને પ્રભાવિત થયા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નાઇજીરીયા કાર્યાલયે હત્યાઓની તપાસ કરવા તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હાકલ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
Fact Check: ઈરાન હિંસામાં 6 ભારતીય નાગરિકોની ધરપકડની વાતમાં સામે આવ્યું સત્ય, જાણો- રાજદૂતે શું કહ્યું ? | 2026-01-12 14:19:38
સીરિયામાં ISIS પર અમેરિકાનો મોટો હુમલો, ડઝનબંધ ઠેકાણાઓનો નાશ કર્યો | 2026-01-11 09:54:10
અમેરિકાના 500 ટકા ટેરિફની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ:અમે અમારી નીતિ બદલીશું નહીં | 2026-01-09 20:02:44
અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં ચર્ચના પાર્કિંગમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 6 ઘાયલ થયા | 2026-01-08 16:01:10
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03