કચ્છઃ જિલ્લાના નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના (IAF) ના એક જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. મૃતકની ઓળખ 27 વર્ષીય કોર્પોરલ ભરત કુમાર ભારદ્વાજ તરીકે થઇ છે.
નાલિયા એરફોર્સ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં બનેલી ઘટના
બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે તેમણે પોતાના સર્વિસ હથિયાર AK-47 એસોલ્ટ રાઈફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કોઠારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના નાલિયા એરફોર્સ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં બની હતી.
ફરજ પરના કર્મચારીઓને ગોળીબારનો અવાજ સંભળાયો અને તેમણે ભરત કુમારને લોહીલુહાણ હાલતમાં પડેલા જોયા. તેમના સાથીદારો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39