અત્યાર સુધી 33 લોકો સામે ગુનો દાખલ, 21 આરોપીઓ ઝડપાયા
એસઆઇટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
દારૂબંધી હટાવવા અંગે શંકરસિંહ વાઘેલાએ ઘણી વખત નિવેદનો આપ્યાં છે
ગાંધીનગરઃ રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર મચી ગયો છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે. બોટાદમાં 25 અને ધંધુકામાં 11 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડને લઈને તમામ વિરોધ પક્ષો ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બોટાદ લઠ્ઠાકાંડ પર નિવેદન આપ્યું છે.
વાઘેલાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આપણા ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ વેચાય છે, માત્ર નામની જ દારૂબંધી છે, તો દારૂબંધી રાખવાનો શુ મતલબ છે ? શા માટે રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવામાં નથી આવતી ? વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચ કરીને ગુજરાતને વાઈબ્રન્ટ મોડ પર મૂકનારી ભાજપની આ સરકારે લઠ્ઠાકાંડની ઘટના પરથી બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે. આ પહેલીવાર નથી બન્યું, પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શકતુ નથી.
દારુબંધી હટાવવી એ સમયની માંગ છે, આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે.અગાઉ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે દારુબંધી હટાવવી એ સમયની માંગ છે. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું, હવે તેનો પુનવિચાર કરો, દારૂબંધી હટાવો. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. તો આ નીતિ ખોટી છે. ગુજરાતમાં લોકો કેમિકલ પીને મરી જાય છે, અનેક બહેનો વિધવા થાય છે. હવે નીતિ બદલવાની જરુર છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોના મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
રૂપાલાને હરાવીશું, મત એ જ શસ્રઃ રાજપૂત સંકલન સમિતિની જાહેરાત – Gujarat Post | 2024-04-20 07:46:56
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11