Fri,19 April 2024,2:27 pm
Print
header

બોલીવુડને વધુ એક ફટકો, જાણીતા કોરિયોગ્રાફર સરોજખાનનું 72 વર્ષની વયે નિધન

બાંદ્વાની ગુરુનાનક હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 

મુંબઇઃ છેલ્લાં ત્રણ મહિનામાં બોલીવુડ પર ઘાત બેઠી હોય તેવુ લાગે છે. દિગ્ગજ કલાકાર ઇરફાન ખાન, ઋષિકપુર, સુશાંતસિંહ બાદ બોલીવુડ માટે વધુ માઠા સમાચાર મળ્યાં છે, જાણીતા કોરીયોગ્રાફર સરોજખાનનું કાર્ડિયાક એટેક આવતા અવસાન થયું છે. 71 વર્ષના સરોજખાનને  શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોવાથી બાંદ્વાની ગુરુનાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.  ત્યારે તેમની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા આપવાની હતી પણ અચાનક ગત રાત્રીએ તબિયત બગડી અને કાર્ડિયાક એેટેક આવતા તેમનું મોત થઇ ગયું છે, સરોજખાનના નિધનથી બોલીવુડને મોટો આંચકો લાગ્યો છે. સતત ચાર દાયકા સુધી બે હજારથી વધારે ગીતો પર કોરીયોગ્રાફી કરનાર સરોજખાન સૌથી સિનિયર કોરિયોગ્રાફર હતા. તેમને ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યાં છે. જેમાં દેવદાસના ડોલા રે ડોલા રે માટે, તેજાબના એક દો દીન અને વર્ષ 2007માં આવેલી જબ વી મેટના યે ઇશ્ક ગીતની કોરિયોગ્રાફી માટે આ એવોર્ડ મળ્યાં હતા. માધુરી દિક્ષીતથી માંડીને અનેક જાણીતી ફિલ્મી હિરોઇનની કારર્કિદીમાં સરોજખાનની કોરિયોગ્રાફીનો મહત્વનો ફાળો રહ્યો છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch