Sat,08 August 2026,9:27 pm
Print
header

એક સમયે અનામત માંગવા નીકળેલા હાર્દિક પટેલ ફરી મેદાનમાં, હવે અનામત નાબૂદ કરવાના પક્ષમાં કહી વાત

  • Published By Panna Patel
  • 2026-07-30 09:12:27
  • /

ગાંધીનગર: 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલ અને પાટીદાર નેતાઓમાંના તેમના પૂર્વ સાથીઓએ હવે ચાલી રહેલા અનામત દૂર કરો આંદોલનને ટેકો આપ્યો છે.

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે અનામત વ્યવસ્થામાં સુધારાની જરૂર છે, અનામતના લાભો સામાજિક અને આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ લોકો સુધી મર્યાદિત હોવા જોઈએ. X પર અનામત દૂર કરો આંદોલનના એકાઉન્ટમાં 55 લાખથી વધુ સપોર્ટર બન્યાં છે. જેમાં દર મિનિટે હજારોની સંખ્યામાં લોકોનો વધારો થઈ રહ્યો છે.

અનામત દૂર કરો આંદોલન માટે વધતો જતો ટેકો

અનામત દૂર કરો આંદોલન - કોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર-મંતર પર યોજાયેલા વિરોધ પ્રદર્શનના પ્રતિભાવમાં ડિજિટલ સ્પેસમાં ઉભરી આવેલું એક ઓનલાઈન અભિયાન (જસ્ટિસ સૂર્યકાંતની ટિપ્પણી બાદ) - સોશિયલ મીડિયા પર મોટા પાયે ટ્રેન્ડ કરી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં, ઝુંબેશના મુખ્ય પેજ પર દર 25 મિનિટે 1,00,000 સભ્યો ઉમેરાઇ રહ્યાં છે.

બધી જાતિઓ સમાન છે, મારો દેશ ખરેખર મહાન છે

મુખ્ય વેબપેજનું IP સરનામું રાજસ્થાનના કોટાનું છે, અને આ ઝુંબેશ પાછળના જૂથે દરેક રાજ્ય માટે અલગ એકાઉન્ટ પણ બનાવ્યાં છે. તેમની ટેગલાઇન છે: બધી જાતિઓ સમાન છે, મારો દેશ ખરેખર મહાન છે. જ્યારે આ ચળવળ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, ત્યારે તેણે સામાજિક અને રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓનું ધ્યાન પણ ખેંચ્યું છે.

દેશની અનામત વ્યવસ્થામાં સુધારાની જરૂર છે - હાર્દિક પટેલ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને હાલમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ જણાવે છે કે દેશની અનામત વ્યવસ્થામાં સુધારાની જરૂર છે, અનામતના લાભો ફક્ત સામાજિક અને આર્થિક રીતે પછાત, ગરીબ અથવા જરૂરિયાતમંદોને જ મળવા જોઈએ.

સંપન્ન લોકોએ સ્વેચ્છાએ અનામતનો ત્યાગ કરવો જોઈએ - હાર્દિક પટેલ

જે પરિવારો સરકારી સેવામાં છે જેમણે અનામતનો લાભ મેળવીને ગરીબી અને પછાતપણાને દૂર કર્યું છે. તેમણે પોતાના સમૂદાયમાં પછાત વર્ગોના ભલા માટે સ્વેચ્છાએ અનામતનો ત્યાગ કરવો જોઈએ. ડૉ. આંબેડકરનો હેતુ આ લાભ સમાજના હાંસિયામાં રહેલા વ્યક્તિ સુધી પહોંચે તેવો હતો, તેથી, ધનિકોએ સ્વેચ્છાએ અનામતનો ત્યાગ કરવો જોઈએ.

આરક્ષણ હોવું જોઈએ, પરંતુ સુધારો આવશ્યક છે - હાર્દિક પટેલ

હાર્દિક દેશની અનામત વ્યવસ્થા અંગે જનજાગૃતિ અને સામાજિક ચળવળની હિમાયત કરે છે. સમાજમાં ગરીબી, જાતિ આધારિત ભેદભાવ અને પછાતપણું ચાલુ હોવાથી, અનામત ચાલુ રહેવું જોઈએ, છતાં સુધારા જરૂરી છે.

પાટીદાર આંદોલન પછી 10 ટકા EWS અનામત મંજૂર

પાટીદાર અનામત આંદોલન પછી જ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામત વ્યવસ્થા દેશભરમાં લાગુ કરવામાં આવી હતી.

પાટીદાર આંદોલનના નેતા દિનેશ બામણિયા, સરદાર પટેલ ગ્રુપના સ્થાપક પ્રમુખ લાલજી પટેલ સાથે એ પણ અનામત સુધારાના આહ્વાનને ટેકો આપ્યો છે. તેઓ સંમત છે કે સિસ્ટમમાં સુધારાની જરૂર છે.

ગુજરાતમાં વધુ એક આંદોલનની શક્યતા

બામણિયા જણાવ્યું કે CJPના પ્રતિભાવમાં ઉભરી આવેલા RHA આંદોલનને ભારે સમર્થન મળી રહ્યું છે અને તેનું નેતૃત્વ રાજસ્થાનના કોટાથી કરવામાં આવી રહ્યું છે. આ માટે રાજ્યવાર પેજ પણ બનાવવામાં આવ્યાં છે, તેથી, ભવિષ્યમાં ગુજરાતમાં અનામત પ્રણાલીમાં સુધારાની માંગણીઓ સાથે બીજા આંદોલનની શક્યતા નકારી શકાય નહીં.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch