નવી દિલ્હીઃ કોરોનાથી સ્વસ્થ થયા પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોરોના ચેપથી સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.એઈમ્સના ડોક્ટરોએ આ માહિતી એક પ્રસિદ્ધ ન્યૂઝ એજન્સીને આપી છે. 21 એપ્રિલે રમેશ પોખરીયાલ નિશાંક કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. 61 વર્ષીય કેન્દ્રીય પ્રધાન ઘણા દિવસોની સારવાર બાદ સ્વસ્થ થયા હતા પરંતુ ફરી એક વાર કોવિડ પછીની મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડયો છે.
એક તરફ વિશ્વના અનેક દેશ હજુ પણ કોરોના રોગચાળા સામે લડી રહ્યાં છે, બીજી તરફ કોરોના રોગથી સંબંધિત ઘણા નવા જોખમો સામે આવી રહ્યાં છે. નવા સંશોધન મુજબ કોરોનામાંથી સ્વસ્થ થયા પછી થોડા સમય બાદ દવાઓની આડઅસરને લીધે ઘણા દર્દીઓને બીજા રોગ થઈ રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે હવે પોસ્ટ કોવિડ જોખમો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, સ્વસ્થ થયા પછી પણ લોકો શારીરિક સ્થિરતા, આંશિક અપંગતા, માનસિક બિમારીઓ, ફેફસાં અને હૃદય સંબંધિત રોગોથી પીડિત છે જે લોકો અગાઉ ડાયાબિટીઝ અને અન્ય રોગોથી પીડાતા હતા તેમની માંદગીનું સ્તર વધ્યું છે. આમાંના ઘણા રોગોની વધુ સારવાર ચાલુ રાખવાની જરૂર રહેશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13