Thu,12 March 2026,10:21 am
Print
header

ગોંડલમાં PGVCLના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીઓનાં મોત

  • Published By Panna patel
  • 2025-07-11 10:31:57
  • /

રાજકોટઃ ગોંડલના વોરા કોટડા રોડ પર PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનાં મોત થયા છે.

આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા બંને યુવાનોનાં મોત થયા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ દુર્ઘટનામાં ભગવાનસિંગ રામલાલ ભીલ (ઉ.વ-22) અને સુરજકુમાર બનેસિંગ ભીલ (ઉ.વ-20) ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી મોત થયા છે. બંન્ને યુવાનો રાજસ્થાનના અકલેરા તાલુકાના આમટા ગામના રહેવાસી છે. 

PGVCL દ્રારા છેલ્લા ચાર દિવસથી શ્રી હરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામ લગભગ 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું હતું. આજે રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં બે કોન્ટ્રાક્ટ કર્મચારીના મોત થયા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch