સૌરાષ્ટ્રાના પાટીદારોને રિઝવવા ખોડલધામના ગરબા કાર્યક્રમમાં કેજરીવાલે આપી હતી હાજરી
રાજકોટઃ ગુજરાતમાં ચૂંટણી તારીખો હજુ જાહેર થઇ નથી.પરંતુ રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસથી ચૂંટણી માહોલ ઉભો થયો છે. પીએમ મોદી સતત ગુજરાતના વિવિધ વિસ્તોરામાં કાર્યક્રમો કરી રહ્યાં છે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ નિયમિત ગુજરાત આવી રહ્યાં છે.
ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જનસભાને સંબોધન કર્યું. અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન એક ગરબા કાર્યક્રમમાં સામેલ થયા. જે દરમિયાન કોઈએ કેજરીવાલ પર બોટલ ફેંકી.રાજકોટના ખોડલધામ ગરબા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામેલ થયા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા, નીલ સિટી ક્લબના ડાંડિયા કાર્યક્રમમાં તેમણે ગરબામાં ભાગ લીધો હતો.
ખોડલધામ ગરબામાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગયા હતા. ત્યારે તેમના પર કોઈ શખ્સે પાણીની બોટલ ફેંકી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે કેજરીવાલ પર બોટલ ફેંકનાર શખ્સ કોણ હતો, તેની ઓળખ થઇ નથી.
પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલે બે જનસભાઓમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી વિકલ્પ ન હતો, પણ આ વખતે આમ આદમી પાર્ટી વિકલ્પ છે, હવે ગુજરાતમાં પરિવર્તન થઈને રહેશે. ગુજરાતની જનતા ભાજપને 27 વર્ષથી સહન કરી રહી છે.
સૌરાષ્ટ્રના પાટીદારોના મતો ખેંચવા આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાટીદાર સમાજના દાંડીયા રાસમાં સામેલ થયા હતા. કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરી અને નવરાત્રીની લોકોને શુભકામના આપી હતી. જોકે અરવિંદ કેજરીવાલ રાજકોટમાં રાજકીય નિવેદન બાજીથી દૂર રહ્યાં હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post | 2024-04-18 08:51:38
મહિલા સિંગરને બિભત્સ વીડિયો મોકલી ખંડણી માંગનારા ત્રણ પકડાયા- Gujarat Post | 2024-04-18 08:47:47
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
ભાજપ આ જોઇ લે....રાજકોટમાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજનું જોરદાર પ્રદર્શન, રૂપાલાને હટાવો... | 2024-04-14 19:01:17
રાજકોટ બેઠક પર રૂપાલાની વધી શકે છે મુશ્કેલી, પ્રથમ દિવસે જ 100થી વધુ ફોર્મ ઉપડ્યાં- Gujarat Post | 2024-04-13 10:27:28
હવે જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચરનું રૂપાલાને સમર્થન- Gujarat Post | 2024-04-13 10:19:57