Thu,25 April 2024,9:35 am
Print
header

રાજકોટમાં સ્મશાનના દ્રશ્યો જોઇને તમે કંપી જશો, લાશોના ઢગ થઇ રહ્યાં છે અહીં

રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોરોનાએ હડકંપ મચાવ્યો છે પહેલા સુરતના સ્મશાનોમાં કોરોનાથી મૃત્યું પામેલા લોકોની લાશોના ઢગલા જોવા મળ્યાં હવે રાજકોટની હાલત પણ કફોડી બની રહી છે. બે દિવસમાં રાજકોટમાં અંદાજે 100 લોકોનાં મોતના આંકડા સામે આવતા ચિંતા વધી રહી છે જો કે સરકારી ચોપડે હજુ ઓછા જ મોત બતાવવામાં આવી રહ્યાં છે.

રાજકોટના સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે દર્દીના સ્વજનોએ રાહ જોવી પડી રહી છે મોટી સંખ્યામાં અહીં કોરોનાથી મૃત્યું પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર થઇ રહ્યાં છે. જેના પરથી સ્થિતી સ્પષ્ટ છે કે કોરોનાએ રાજકોટમાં તાંડવ મચાવ્યું છે. હોસ્પિટલો બહાર એમ્બુલન્સની લાઇનો તમે જોઇ, હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીના અનેક કિસ્સા છે, કોરોનાના પુરતા બેડ નથી જેથી જ હવે કોરોનાના દર્દીઓ મરી રહ્યાં છે ખુદ હાઇકોર્ટે પણ રાજ્યમાં મેડિકલ સેવાઓને લઇને સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને તાત્કાલિક યોગ્ય પગલા ભરવા નિર્દેશ આપ્યાં છે ત્યારે કોરોનાની આ ભયાનક સ્થિતીમાં અમારી તમને પણ અપીલ છે કે કામ વગર ઘરની બહાર ન નીકળતા અને માસ્ક ચોક્કસથી પહેરજો. નોંધનિય છે કે રાજ્યમાં ગઇકાલે 8 હજારથી વધુ કોરોનાના કેસ આવ્યાં છે જે આંકડો ચિંતાજનક છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch