Sat,20 April 2024,4:31 pm
Print
header

રાજકોટ: ખોડિયાર આશ્રમ મહંતના આપઘાત કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો

રાજકોટ: મોરબી રોડ પર આવેલા કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાતના કેસમાં ડો.નિલેશ નિમાવત અને સરકારી વકીલ રક્ષિત કલોલાની સંડોવણી અંગેના પુરાવા પોલીસને મળી આવ્યાં છે પોલીસે આત્મહત્યાની ફરજ પાડવાના કેસમાં પુરાવાનો નાશ કરવો, ગુનાહિત કાવતરૂ અને ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરવા અંગેની કલમનો ઉમેરો કર્યો છે. મહંત જયરામદાસબાપુએ ગત તારીખ 31મી મેના રોજ ઝેરી દવા પી લેતા તેમના આપઘાતના બનાવને છુપાવી કુદરતી મોત એટલે કે હાર્ટ એટેકથી થયાનું ખોટુ સર્ટિફિકેટ આપવા મામલે સબબ દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવતની સંડોવણી અંગેના પુરાવા મળી આવ્યાં છે. સરકારી વકીલ રક્ષિત કલોલા આપઘાત પૂર્વે ખોડીયારધામ આશ્રમ ખાતે વિક્રમ ભરવાડની સાથે ગયો હતો.આત્મહત્યાના બનાવને કુદરતી મોત ખપાવવા અને પુરાવાનો નાશ કરવા સહિતના મોટા પુરાવા મળી આવ્યાં છે. રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરીને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યાં છે.

આ મામલે તપાસ કરી રહેલા રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું કે આપઘાત કેસમાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની પણ સંડોવણી ખુલી છે. આપત્તિજનક વીડિયોમાં દેખાતી યુવતીએ નિવેદન આપ્યું છે કે બાપુથી હેરાન હતી. વીડિયોમાં બાપુ સાથે મારા શારીરિક સંબંધ નથી. આ અંગે ડીસીપીએ વધુમાં જણાવ્યું કે બાપુએ સલ્ફોસ નામની ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું છે. મોબાઈલમાંથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટાથી ઝેરી ટીકડાના પુરાવા મળ્યાં છે.

રક્ષિત કલોલાની હાજરીમાં વિક્રમ ભરવાડે મહંત જયરામદાસબાપુને લાકડીથી માર માર્યો હોવાના પુરાવા મળ્યાં છે મહંત જયરામદાસબાપુએ લખેલી સ્યુસાઇડ નોટ મૃત્યુ બાદ રક્ષિત કલોલાએ પોતાના કબ્જામાં રાખી હતી. જયરામદાસબાપુના મોત બાદ મૃતદેહને નીચે ઉતરાવવાની સુચના આપી રૂમની સાફ સફાઇ કરાવી હતી. સ્યૂસાઇડ નોટનો ફોટો સાધુ રઘુવીરદાસને રક્ષિત કલોલાએ મોકલ્યો હતો. જયરામદાસબાપુએ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે ખોડીયારધામ આશ્રમથી એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલી દેવ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા.

ડો.નિલેશ નિમાવત દ્વારા મહંત જયરામદાસબાપુના મરણનો દાખલો આપવાની સૂચના આપી હોવાથી અન્ય એક તબીબ દ્વારા આપઘાતના બનાવને છુપાવી હાર્ટ એટેકથી મોત થયાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાના પોલીસને પુરાવા મળી આવ્યાનું પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી ટંડન અને પીઆઇ એન.એન.ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસે અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના બોલેરો, હિટાચી અને સ્વીફટ કાર કબ્જે કર્યા છે. બંને શખ્સોની મિલકત અંગેની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુને બ્લેક મેઇલીંગ કરવામાં આવતા કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યાંના કેસમા એક પછી એક રહસ્યો આવી રહ્યાં છે.

મૃતક મહંત જયરામદાસબાપુ ને 1008ની પદવી કંઇ રીતે મળી તે અંગે તપાસ થાય તો કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. આશ્રમ માં કંઇ રીતે મિલકત આવતી અને તેનો ઉપયોગ શું થતો તે અંગે પણ તપાસ થવી જરૂરી બન્યું છે.રાજકોટની ભાગોળે આવેલા કાગદડી ખાતે વિકાસ થતા જમીનના ભાવ ઉચકાયા છે.બીજી તરફ જમીનની નવી જુની શરતોને કારણે કેટલીક જમીન છુટી કરવા માટે જમીનના ધંધાર્થીઓનો કાગદડી પર ડોળો હતો. કેટલીક જમીનના સ્થળ બદલી જવા પાછળ પણ કેટલાક મોટા માથાની સંડોવણી બહાર આવે તેમ હોવાથી પોલીસની સાથે રેવન્યુ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

ભારતીય સંત સમિતિ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરી ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માગ કરી છે. મિલકત પચાવી પાડવા થયેલા કાવતરૂ હોવાથી ગુનામાં સંડોવાયેલા સામે કાવતરાની કલમ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch