રાજકોટ: શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એસીપી (ACP) તરીકે ફરજ બજાવતા વી.જી. પટેલ (વિનાયક પટેલ) 31 મેના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમની નિવૃત્તિના ઠીક એક દિવસ પહેલાં જ ગૃહ વિભાગે તેમને નોકરીમાંથી ડિસમિસ (બરતરફ) કરવાનો કડક આદેશ જારી કર્યો હતો.
વી.જી. પટેલ જ્યારે વડોદરા એચ ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ પર હતા, ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારનો એક કેસ નોંધાયો હતો. આ કેસમાં તેમણે એક આરોપીને પકડવા ન પડે તે માટે ઘરે ન રહેવાની સલાહ આપીને કાયદાકીય પ્રક્રિયામાંથી બચવામાં મદદ કરી હતી. આ મદદના બદલામાં મોટો આર્થિક વહીવટ થયો હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ હતી.
પોલીસ અધિકારી હોવા છતાં આરોપીને મદદરૂપ થવાના આ ગંભીર આક્ષેપ બાદ તેમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી (વિભાગીય તપાસ) શરૂ કરવામાં આવી હતી. આ તપાસના અંતે એસીપી વી.જી.પટેલ ગુનામાં દોષિત જાહેર થયા હતા. જેથી ગૃહ વિભાગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી, તેઓ સન્માનભેર નિવૃત્ત થાય તેના 24 કલાક પહેલા જ તેમને હોદ્દા પરથી હકાલપટ્ટી કરવાનો ઓર્ડર પાસ કર્યો હતો.
ખાખીને દાગ લગાડતા આવા અધિકારીઓ સામે ગૃહ વિભાગે લીધેલા આ આકરા પગલાંથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાની આડમાં અંગત સ્વાર્થ સાધનારાઓને બક્ષવામાં નહીં આવે. આ મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
મોરબીમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં, 50થી વધુ ટ્રેક્ટરો સાથે 700 ખેડૂતોની વિશાળ રેલી | 2026-06-10 18:20:59
રાજકોટમાં રમતી વખતે 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં | 2026-06-08 17:53:28
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત | 2026-06-05 18:36:57
રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ | 2026-06-05 18:12:32