Fri,19 April 2024,11:58 am
Print
header

Big News: કોંગ્રેસને મોટો ફટકો, ગુજરાતના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી નિધન

પુણેઃ કોંગ્રેસને એક મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થઇ ગયું છે તેઓ કોરોનાથી પ્રભાવિત હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યાં છે. રાજીવ સાતવ જેવા સિનિયર નેતાના નિધનને પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે. અમિત, ચાવડા, અર્જુન મોઢવાડિયા અને પરેશ ધાનાણી જેવા ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા શોક પ્રક્ટ કરવામાં આવ્યો છે.

સાતવને કોરોના થતા 23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનને કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યાં હતા બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા.બાદમાં તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું. પરંતુ ફરીથી તેમની તબિયત લથડી હતી અને હવે તેઓનું નિધન થયું છે તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઘણા નજીકના નેતા ગણાતા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch