જયપુરઃ દૌસા-મનોહરપુર હાઇવે પર બુધવારે સવારે એક ટ્રક અને તુફાન જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે ટેમ્પોમાં સવાર વર-વધૂ સહિત 5 લોકોનાં મોત થયા હતા, જ્યારે 6 જાનૈયા ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. તેમની હાલત પણ ગંભીર જણાવાઈ છે.
આ અકસ્માત સવારે રાયસર (જયપુર ગ્રામીણ) વિસ્તારના ભટકાબાસ ગામ પાસે દૌસા-મનોહરપુર હાઇવે પર થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર, બંને વાહનો આમને-સામને અથડાયા હતા. જીપમાં સવાર લોકો મધ્ય પ્રદેશથી લગ્ન કરીને પરત ફરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ તૂફાન ગાડી દૌસાથી મનોહરપુર તરફ જઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલા કેન્ટર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ રાયસર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મૃતકો અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, ટક્કર એટલી ભયાનક હતી કે પેસેન્જર ગાડીના ફુરચા ઉડી ગયા હતા.ઘણા લોકો વાહન અંદર જ ફસાઈ ગયા હતા, જેમને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22