મેઘાલયઃ ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીના લગ્ન મે મહિનામાં થયા હતા, ત્યારબાદ તેઓ તેમની પત્ની સોનમ રઘુવંશી સાથે હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયા હતા. ત્યાં બંને ગુમ થઈ ગયા હતા અને ઘણી શોધખોળ બાદ રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો હતો અને સોનમ ગુમ હતી. સોમવારે સવારે સોનમ રઘુવંશી અચાનક યુપીના ગાઝીપુરમાં એક ઢાબામાં મળી આવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે એ વાત સામે આવી છે કે સોનમ તેના પતિ રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડી ચૂકી હતી અને પછી ફરાર થઈ ગઈ હતી. તેની સાથે વધુ ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તે બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સોનમ જે ઢાબામાં રોકાઈ હતી તેના માલિકે કહ્યું કે અહીં આવીને યુવતીએ તેના નંબરનો ઉપયોગ કરીને કોઈને ફોન કર્યો હતો. તે ખૂબ રડી રહી હતી, ત્યારબાદ અમે પોલીસને જાણ કરી અને નંદગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઢાબા પર પહોંચી અને તેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
મેઘાલયના ડીજીપીએ ખુલાસો કર્યો
ડીજીપી આઈ નોંગરાંગે જણાવ્યું કે ઇન્દોરના પ્રવાસી રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન હત્યા થઇ હતી. પત્ની દ્વારા ભાડે રાખેલા લોકોએ આ હત્યા કરી હતી. પત્ની સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી, રઘુવંશી અને તેમની પત્ની 23 મેના રોજ મેઘાલયના સોહરા વિસ્તારમાં રજાઓ ગાળતી વખતે ગુમ થઈ ગયા હતા. 2 જૂનના રોજ તેનો મૃતદેહ એક કોતરમાંથી મળી આવ્યો હતો, જ્યારે તેની પત્નીની શોધ ચાલુ હતી.
SIT દ્વારા યુપીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને બે અન્ય આરોપીઓને ઇન્દોરથી પકડવામાં આવ્યાં હતા. સોનમે યુપીના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોએ ખુલાસો કર્યો છે કે પત્નીએ રઘુવંશીની હત્યા કરવા માટે તેમને ભાડે રાખ્યા હતા. મધ્યપ્રદેશમાં ગુનામાં સંડોવાયેલા કેટલાક વધુ લોકોને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22