નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન દરમિયાન શહીદ ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે સંસદમાં કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને આર્થિક સહાય આપવાનો પ્રસ્તાવ છે. મંત્રાલય જવાબ આપે છે કે આ મામલે કૃષિ મંત્રાલય પાસે કોઈ રેકોર્ડ નથી, તેથી નાણાંકીય સહાય આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલા ખેડૂતોના મોત આંદોલન દરમિયાન થયા છે જેનો ડેટા સરકાર પાસે નથી પરંતુ અમારી પાસે છે, અમે તેમને આપીશું. 500 લોકોના નામ તો અમારી પાસે છે જેઓને પંજાબની કોંગ્રેસ સરકારે વળતર અને નોકરી આપી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે એવા 403 લોકોની યાદી છે જેમને પંજાબ સરકારે પાંચ લાખ રૂપિયાનું વળતર આપ્યું છે અને 152 લોકોને નોકરી આપી છે. અમારી પાસે 100 એવા લોકોના નામ છે જેઓને અન્ય રાજ્યોએ વળતર આપ્યું છે. ત્રીજી એવી યાદી છે જે સાર્વજનિક સૂચનામાં છે, અને સરળતાથી વેરિફાય કરી શકાય છે. પરંતુ સરકાર કહે છે કે એવી કોઇ યાદી છે જ નહીં. મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવા પડ્યાં છે પરંતુ હજુ સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18