નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાને લઈ ભારતના હવામાન ખાતાએ મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન ખાતાએ કહ્યું કે, લક્ષદ્વીપ વિસ્તારમાં એક પ્રેસર સર્જાયું છે, જે આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતમાં ફેરવાશે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. IMDએ અરબ સાગર અને લક્ષદ્વીપની ઉપર બનેલા તૌકતે વાવાઝોડાને પગલે મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વાવાઝોડુ શનિવારે આ વિસ્તારમાં જ કેન્દ્રિત રહેશે અને આગલા દિવસે વધુ તેજ થઈ જશે. વાવાઝોડાને લઈને NDRFની ટીમો રવાના કરવામાં આવી છે.
વાવાઝોડાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. તૌકતેને લઈ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હું કોંગ્રેસના કાર્યકર્તાઓને જરૂરિયાતમંદોની મદદ કરવા તૈયાર રહેવાની અપીલ કરું છું.
ગુજરાત (Gujarat)પર 18 મેના રોજ 'તૌકતે' નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. IMDએ લક્ષદ્વીપ સમૂહ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટક, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થયું છે. તેમજ એક બંદર પર બે નંબર અને એક બંદર પર 2 નંબરનું સિગ્ન લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમૂદ્રમાં સર્જાઇ રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ નં.1 લગાવાયું છે. માછીમારોને દરીયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના અપાય છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29