નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો તણાવ હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યસભામાં પક્ષના ઉપનેતા પદેથી ચઢ્ઢાને હટાવીને તેમના સ્થાને ડૉ. અશોક કુમાર મિત્તલની નિમણૂંક કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. પાર્ટીએ માત્ર નેતૃત્વમાં જ ફેરફાર નથી કર્યો, પરંતુ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને એવી વિનંતી પણ કરી છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં બોલવા માટે સમય આપવામાં ન આવે. ત્યારથી પાર્ટી અને ચઢ્ઢા વચ્ચેના અંતરની ચર્ચાઓ તેજ થઈ છે.
કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા વચ્ચેનું અંતર તે દિવસથી જ દેખાવા લાગ્યું હતું જ્યારે કેજરીવાલ જેલમાં હતા અને રાઘવ પત્ની પરિણીતી સાથે લંડનમાં ફરતા અને મોજ-મસ્તી કરતા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં હતા. લોકસભા ચૂંટણીમાં પણ રાઘવને પંજાબથી દૂર રાખવામાં આવ્યાં હતા. ઔપચારિક રીતે તેઓ માત્ર આનંદપુર સાહિબ બેઠક પર જોવા મળ્યાં હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢા પક્ષના મહત્વના મુદ્દાઓ પર અપેક્ષા કરતા વધુ શાંત જણાતા હતા.
વિપક્ષ જ્યારે તેને આપના આંતરિક મતભેદના સંકેત તરીકે ગણાવી રહ્યો છે, ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા સંજય સિંહ અને નવા ઉપનેતા ડૉ. અશોક કુમાર મિત્તલે તેને એક સામાન્ય સંગઠનાત્મક પ્રક્રિયા ગણાવી છે, જેનો હેતુ અન્ય સાંસદોને પણ જવાબદારી સોંપવાનો છે.
રાઘવ ચઢ્ઢાએ પક્ષના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ઈશારામાં પોતાની વાત રજૂ કરી છે. તેમણે કહ્યું કે, મારી ખામોશીને મારી હાર ન માની લેતા, હું એ દરિયો છું જે સમય આવ્યે સૈલાબ (પૂર) બને છે.
આ સમગ્ર ઘટના ક્રમમાં બે પ્રકારના ચિત્રો સામે આવી રહ્યાં છે. એક તરફ આમ આદમી પાર્ટી તેને સામાન્ય ફેરફાર ગણાવી રહી છે, બીજી તરફ રાઘવ ચઢ્ઢાના ઈશારા તેને અવાજ દબાવવાની કાર્યવાહી તરીકે રજૂ કરી રહ્યાં છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19