નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) માટે રાષ્ટ્રીય સ્તરે મોટા માઠા સમાચાર સામે આવ્યાં છે. પક્ષના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોએ આપમાંથી રાજીનામું આપી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો ખેસ ધારણ કરી લીધો છે. દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની હાજરીમાં તમામનું મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ 10 સાંસદો છે, જેમાંથી બે તૃતીયાંશથી વધુ એટલે કે 7 સાંસદો હવે ભાજપમાં ભળી ગયા છે. રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, સંદીપ પાઠક, અશોક મિત્તલ અને રાજેન્દ્ર ગુપ્તા ભાજપમાં સામેલ થયા હતા.
પક્ષ પલટો કરનાર નેતાઓએ આમ આદમી પાર્ટીના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. રાઘવ ચઢ્ઢાએ કહ્યું, આમ આદમી પાર્ટી જે ઉદ્દેશ્ય સાથે બની હતી તે પૂરો થયો નથી. પાર્ટી હવે તેના સ્થાપિત સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. હું ત્યાં ગુંગળામણ અનુભવી રહ્યો હતો, તેથી હવે સામાન્ય લોકોના હિત માટે ભાજપ સાથે જોડાઈ રહ્યો છું.
BJP President Nitin Nabin (@NitinNabin) posts, "Welcomed Raghav Chadha Ji, Sandeep Pathak Ji, and Ashok Mittal Ji to the BJP family at the Party HQ today. Also, best wishes to Harbhajan Singh Ji, Swati Maliwal Ji, Vikram Sahney Ji, and Rajinder Gupta Ji to work under the dynamic… pic.twitter.com/RvokMISKI7
— Press Trust of India (@PTI_News) April 24, 2026
સ્વાતિ માલીવાલે પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના સંરક્ષણમાં પક્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. મહિલાઓ પર અત્યાચાર અને ગુંડાગર્દીની ઘટનાઓ વધી રહી છે. પંજાબની જનતા સાથે છેતરપિંડી અને લૂંટ થઈ રહી છે.
આ ઘટનાક્રમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ માટે અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય આંચકો માનવામાં આવે છે. એકસાથે 7 સાંસદોનું તૂટવું એ સાબિત કરે છે કે પક્ષની અંદર આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપમાં જોડાયેલા નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે રાષ્ટ્રહિત અને જનતાની સેવામાં કાર્યરત થશે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52