ચેન્નાઈઃ પુલવામા હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતી શંકર ઢોંડિયાલના પત્ની નિકીતા કૌલ આજે ભારતીય સેનામાં જોડાઇ ગયા છે. તમિલનાડુના ચેન્નાઈમાં નિકીતા કૌલને સેનાની વર્દી પહેરાવવામાં આવતા તેઓ ભાવુક થઈ ગયા હતા, તેઓ દેશની સેવા કરવા સેનામાં જોડાયા છે.
#MajVibhutiShankarDhoundiyal, made the Supreme Sacrifice at #Pulwama in 2019, was awarded SC (P). Today his wife @Nitikakaul dons #IndianArmy uniform; paying him a befitting tribute. A proud moment for her as Lt Gen Y K Joshi, #ArmyCdrNC himself pips the Stars on her shoulders! pic.twitter.com/ovoRDyybTs
— PRO Udhampur, Ministry of Defence (@proudhampur) May 29, 2021
જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં 8 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકીઓનો સામનો કરતા દેહરાદૂનના રહેવાસી વિભૂતિ શંકર ઢોંડિયાલ શહીદ થયા હતા. તે વખતે તેમની ઉંમર 34 વર્ષ હતી અને તેમના લગ્નને 9 મહિના થયા હતા. મેજર વિભૂતિના લગ્ન 18 એપ્રિલ, 2018ના રોજ થયા હતા. 19 એપ્રિલે પ્રથમવાર પત્ની નિકીતાને લઈને ડંગવાલ સ્થિત પોતાના ઘરે ગયા હતા. પતિ શહીદ થયા પછી નિકીતાએ ઇલાહાબાદમાં વુમન એન્ટ્રી સ્કીમની પરીક્ષા પાસ કરીને ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી. તેઓની નિકીતાની ટ્રેનિંગ પૂર્ણ થઈ જતાં તેઓ લેફ્ટનન્ટ તરીકે ભારતીય સેનામાં જોડાયા છે. સેનાની ઉત્તરી કમાનના કમાંડર લેફ્ટિનેંટ જનરલ વાઈ કે જોશીએ તમિલનાડુના ચેન્નઈમાં અધિકારીઓની પ્રશિક્ષણ એકેડમીમાં તેમના ખભે સ્ટાર લગાવ્યાં હતા. રક્ષા મંત્રાલય, ઉધમપુરના જનસંપર્કના સત્તાવાર ટ્વિટર હેંડલ પર આ સમારંભનો એક ટૂંકો વીડિયો શેર કર્યો છે.
સેનામાં જોડાયા બાદ નિકીતા બોલ્યાં...
' મારી યાત્રા હજૂ શરૂ થઈ છે, છેલ્લા 11 મહિનામાં મેં ઘણુ બધુ શીખ્યુ છે. હુ એ તમામનો આભાર માનુ છું, જેમણે મારા પર વિશ્વાસ મુક્યો. મારા સાસુ, મારી મા જે મારી આ જર્નીનો ભાગ રહ્યાં છે. તેમના વગર હું આ ન કરી શકુ. હું બસ એટલુ કહેવા માગુ છુ કે, જે રીતે આપ લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો છે, તેના કારણ મારી આ જર્ની સરળ બની છે. હું સૌને એજ કહેવા માગુ છુ કે, મારા પર વિશ્વાસ રાખજો. આપે જે પણ નક્કી કર્યું છે, તેને કરતા આપને કોઈ રોકી શકશે નહીં. બસ વિશ્વાસ રાખો. '
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29