Sat,13 June 2026,3:12 pm
Print
header

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો, મંદિરના અમૃત મહોત્સવમાં આપી હાજરી

  • Published By Panna Patel
  • 2026-05-11 08:53:58
  • /

સોમનાથઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યાં છે, તે અગાઉ તેમને હમીરજી સર્કલ સુધી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. 

સોમનાથ મંદિર શા માટે ખાસ છે ?

મોદીએ વિત્ર સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો, જે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ભારતની અતૂટ શ્રદ્ધા અને સભ્યતા વારસાનું પ્રતિક છે. નવા મંદિરના ઉદ્ઘઘાટનની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે સોમનાથમાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 

મોદી સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વને યાદ કરીને એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.વડોદરામાં સરદારધામ છાત્રાલયમાં 1,000 છોકરાઓ અને 1,000 છોકરીઓ માટે રહેવાની સુવિધા હશે, સાથે જ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

સીએમ પટેલ ગઈકાલે રાત્રે મંદિર પહોંચ્યાં હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે મોડી રાત્રે સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યાં હતા.તેમણે સૌપ્રથમ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી અને પીએમના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે સોમનાથ વારસાની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ-2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

સોમનાથ બાદ પીએમ મોદી વડોદરા જશે, જ્યાં તેઓ સાંજે 6 વાગ્યે સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘઘાટન કરશે અને જાહેર સભાઓને સંબોધિત કરશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch