વાયનાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડ જિલ્લામાં પહોંચ્યાં હતા, કુદરતી આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ચુરામાલામાં પગપાળા ચાલીને ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મોદી એરફોર્સના હેલિકોપ્ટરમાં કન્નુર એરપોર્ટથી વાયનાડ પહોંચ્યાં હતા અને 30 જુલાઈના રોજ મોટા ભૂસ્ખલનથી પ્રભાવિત ચૂરમાલા વિસ્તારમાં નુકસાનનું નિરીક્ષણ કર્યું હતુ.
વડાપ્રધાને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી ભૂસ્ખલન પ્રભાવિત ચુરલમાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. હવાઈ સર્વેક્ષણ પછી મોદીનું હેલિકોપ્ટર કાલપેટ્ટાના એસકેએમજે વિદ્યાલયમાં ઉતર્યું હતુ, જ્યાંથી તેઓ રોડ માર્ગે ચુરલમાલા જવા રવાના થયા હતા.
ચુરલમાલામાં સેનાએ આપત્તિ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો છે. મોદી પગપાળા આ પુલ પરથી પસાર થયા હતા. ચુરલમાલા પહોંચ્યાં પછી મોદી તેમના વાહનમાંથી નીચે ઉતર્યા હતા અને બચાવ કાર્યકર્તાઓ, રાજ્યના મુખ્ય સચિવ વી વેણુ અને જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી હતી પછી ચાલીને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારનો સર્વે કર્યો હતો.
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ તેમની સાથે હતા. હવાઈ સર્વેક્ષણમાં તેઓએ ભૂસ્ખલનના વિસ્તારનો સર્વે કર્યો હતો. જે ઇરુવાઝિંજી પુઝા નદીના મૂળમાં છે. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાનના કાફલાના વાયનાડ અને ચુરલમાલા વચ્ચેના માર્ગ પર અનેક લોકો તેમની રાહ જોઇ રહ્યાં હતા અને રજૂઆત કરવા પણ આવ્યાં હતા.કેરળના વાયનાડ જિલ્લામાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં 226 થી વધુ લોકોનાં મોત થયા હતા. આ વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ - Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
કોંગ્રેસ નેતા પૂંજા વંશની પોલીસને ખુલ્લી ચીમકી, ખાખી ઉતારીને ભાજપમાંથી ચૂંટણી લડવા આવી જાજો | 2025-02-13 12:34:51
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44