Thu,25 April 2024,6:06 am
Print
header

વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ

ગીર સોમનાથ: વડાપ્રધાન મોદીના નામને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બ્રહ્માસ્ત્ર ગણાવ્યું છે અને અગાઉ પાટીલે પેજ પ્રમુખોને અણુ બોંબ ગણાવ્યાં હતા. PM મોદીના કારણે લોકો નાની મોટી ભૂલોને ભૂલીને ભાજપને મત આપતા હોવાનો પાટીલે દાવો કર્યો હતો. પેજ પ્રમુખના ઉપયોગથી કૉંગ્રેસ નેસ્ત નાબૂદ થશે. ગીર સોમનાથના કોડિનારમાં સી.આર.પાટીલે દાવો કર્યો હતો કે 32 જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભગવો લહેરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં પાટીલે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિર માટે 1600 કરોડ રૂપિયા જમા થયા છે. 2022 પહેલા અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરી શકાશે.

6 મનપાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તમામ મનપામાં ભગવો લહેરાયો છે. આ વખતે મહા નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. પાટીલે ફરી એક લખત મોદીની વાહ વાહી કરીને જનતાને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch