લખનઉઃ સમાજવાદી પાર્ટીના સ્વ.મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતિક યાદવનું બુધવારે સવારે નિધન થયું છે. 38 વર્ષની વયે તેમના અચાનક અવસાનથી યાદવ પરિવાર અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયાનું સામે આવ્યું છે.
બુધવારે સવારે અંદાજે 6 વાગ્યે પ્રતિક યાદવની તબિયત લથડતા તેમના સાળા અમન સિંહ બિષ્ટ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ડીસી પાંડેયના જણાવ્યા મુજબ, જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યારે તેમની પલ્સ બંધ હતી અને હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
લખનઉ મેડિકલ કોલેજમાં કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, પ્રતિક યાદવના મોતનું મુખ્ય કારણ કાર્ડિયાક અરેસ્ટ અને પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના જણાવ્યાં અનુસાર, ફેફસાની નસોમાં લોહીના ગઠ્ઠા જામી જવાને કારણે હૃદય અને ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
#WATCH | Lucknow | UP CM Yogi Adityanath leaves from the residence of BJP leader Aparna Yadav after paying his last respects to her husband, and Samajwadi Party Founder Mulayam Singh Yadav's son, Prateek Yadav, who died earlier today. pic.twitter.com/xdApifviHe
— ANI (@ANI) May 13, 2026
ઘટનાની જાણ થતા જ સપા પ્રમુખ અખિલેશ યાદવ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યાં હતા. તેમણે ભાઈના મૃતદેહના દર્શન કર્યા અને ડ્રાઈવર સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. પ્રતિક યાદવના પત્ની અને ભાજપ નેતા અપર્ણા યાદવ આસામથી તાત્કાલિક લખનઉ પરત ફર્યા છે. તેઓ આસામમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા.
નોંધનીય છે કે ગત 30 એપ્રિલના રોજ પણ પ્રતિક યાદવને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જોકે, ત્રણ દિવસ બાદ રાહત થતા તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. તેઓ પલ્મોનરી એમ્બોલિઝમ જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39