Fri,17 April 2026,9:08 pm
Print
header

ભાવનગરમાં પોલીસ પુત્રએ 2 લોકોને અડફેટે લીધા, પોલીસે કરી ધરપકડ

  • Published By Panna patel
  • 2025-07-18 16:38:11
  • /

ભાવનગરઃ કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ મંદિર પાસે એક કાર ચાલકે 2 લોકોને એડફેટે લીધા હતા, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ મંદિર પાસે હર્ષરાજસિંહ ગોહિલ નામના કાર ચાલકે 2 લોકોને એડફેટે લીધા હતા. જેમાં 30 વર્ષીય એન્જિનિયર ભાર્ગવ પટ્ટી નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે 62 વર્ષીય ચંપાબેન વાછાણીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

કાર ચાલક એક પોલીસનો પુત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની ધરપકડ હતી અને નીલમબાગ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ વાહનચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch