નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યાં છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો થયો છે. 10 દિવસથી ઓછા સમયમાં આ ત્રીજો ભાવ વધારો છે.
દિલ્હીમાં હાલનો ભાવ કેટલો છે ?
પેટ્રોલ - રૂ. 99.51 પ્રતિ લિટર
ડીઝલ - રૂ.92.49 પ્રતિ લિટર
છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો ભાવ વધારો છે
15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3-3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 19 મેના રોજ પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘુ થયું હતું. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ લગભગ 5 રૂપિયા મોંઘુ થયું છે.
પીએમ મોદીએ રાષ્ટ્રને ઇંધણ બચાવવાની અપીલ કરી હતી. ત્યાર બાદ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને અન્ય અગ્રણી નેતાઓએ ઇંધણ બચાવવાનો સંદેશ આપવા માટે તેમના કાફલા ટૂંકા કર્યા. પીએમ મોદીનો કાફલો પણ ટૂંકો કરવામાં આવ્યો છે.
દેશભરમાં ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે, અને ઘણા વિસ્તારોમાં ઇંધણ ખતમ થઈ ગયું છે. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ખાતરી આપી છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી. મંત્રાલયે કહ્યું, અફવાઓ પર ધ્યાન ન આપો, દેશમાં ઇંધણની કોઈ અછત નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વિશ્વભરમાં તેલ પુરવઠાને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. એવા અહેવાલ છે કે ભારતે મે મહિનામાં સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કર્યો છે, જેના કારણે ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ ઘટી શકે છે અને તેમાં ઘટાડો થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો ભારત સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રભાવિત થઈ શકે છે અને ઘટી પણ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ આજે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં સીએનજીના ભાવમાં આ ત્રીજો વધારો છે. સીએનજી હવે પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયો મોંઘો થઈ ગયો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં સીએનજી 81.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થશે.
સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો છે. 15 મેથી સીએનજીના ભાવમાં ત્રણ વખત વધારો થયો છે અને તે પ્રતિ કિલો 4 પિયા મોંઘો થયો છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39