પાટણઃ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળે રવિવારે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસન પટેલે એક નિવેદનમાં આપતાં કહ્યું કે પાટીદાર અનામત આંદોલન તત્કાલિન સીએમ આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદન બાદ હાર્દિક પટેલ, લલીત કગથરા, દિનેશ બાંભણીયા, રેશ્મા પટેલ, અલ્પેશ કથીરિયા સહિતનાં અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી છે.
કરસનભાઈ પટેલનાં નિવેદન પર વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, કરસનભાઈ કરોડપતિ છે, ગરીબી જોઈ નથી. આવા આગેવાનો પાટીદારને લેઉવા-કડવામાં વેચી રહ્યાં છે. આ આંદોલનથી માત્ર પાટીદારને જ નહીં પણ બ્રાહ્મણ, લુહાણા સહિતનાં સમાજને ફાયદો થયો છે. છેલ્લા 4 વર્ષમાં હજારો યુવાનો મફતમાં શિક્ષણ મેળવી રહ્યાં છે.
સિદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ વાંસજાળીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 10 વર્ષે આ પ્રકારે ટિપ્પણી કરવી યોગ્ય ન કહેવાય. આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું તે હવે ચર્ચાનો વિષય નથી. આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ છે. પાટીદાર સમાજનાં આંદોલનથી આયોગ અને નિગમ મળ્યું. મુખ્યમંત્રી અને 14 દીકરા ગુમાવ્યાં તે દુઃખદાયી છે. સમાજનાં 14 દીકરાઓ શહીદ થયા તેમના પરિવારોને સહાય અપાઈ છે. 6 જેટલી સામાજિક સંસ્થાએ 20-20 લાખ રૂપિયાની સહાય આપી છે.
લલીત કગથરા કહ્યું કે, ઉદ્યોગપતિ કરસનદાસને 10 વર્ષે હિસાબ યાદ આવ્યો છે. કરસનભાઈ પટેલને હવે યાદ આવ્યું કે પાટીદાર આંદોલનથી કંઈ મળ્યું નથી. આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યાં ત્યારે કેમ ન બોલ્યા ?
પૂર્વ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ કહ્યું કે કરસનકાકાએ જે નિવેદન આપ્યું તેનાથી મને દુઃખ છે. આંદોલનનાં ચેહરાઓથી ગુજરાતને ફાયદો થયો છે. આંદોલનથી સમાજને પણ ઘણો લાભ મળ્યો છે. આંદોલનથી EWS, સ્વાવલંબન યોજના સહિત અનેક એવા ગુજરાત સરકારે લાભો આપ્યા છે. કરસનકાકા 10 વર્ષ પછી યાદ આવ્યું છે. અમરેલીની દીકરી સાથે બનેલી ઘટનામાં કેમ આગળ ન આવ્યાં તે પણ પાટીદાર જ છે.
પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ કહ્યું કે, કરશનભાઈ પટેલનું નિવેદન શંકા ઉપજાવનારૂં છે. આનંદીબેન પટેલને માત્ર લેઉવા પટેલ પુરતા સીમિત કર્યા છે.
પાટીદાર મહિલા અગ્રણી રેશ્મા પટેલે કહ્યું કે પાટીદાર આંદોલન ક્યારેય ગેરમાર્ગે દોરવા માટે ન હતું. પાટીદાર આંદોલન સારી ભાવનાથી કરવામાં આવ્યું હતું. પાટીદાર આંદોલનથી અનેક લોકોને ઘણા ફાયદા થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23
પંડિત પ્રદીપ મિશ્રાની કથા પર વિવાદ, પીએમ મોદી સહિત ભાજપના નેતાઓની તસવીરોવાળા હોર્ડિંગ્સ હટાવાયા | 2025-01-19 17:29:33
અમદાવાદમાં નરોડા પોલીસે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી, PCR વાનમાં દારૂ અને રોકડ મળી હતી | 2025-01-18 19:16:33
ACB ટ્રેપઃ આણંદ જિલ્લામાં 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા આ પોલીસકર્મી ઝડપાયો | 2025-01-17 12:31:23
જામનગર DRI નું ઓપરેશન, કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં આવેલો સોપારીનો જથ્થો ઝડપાયો | 2025-01-17 12:06:17
ખેડામાં સીતાપુર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર કાર પલટી જતા 4 લોકોનાં મોત, નીલગાય આવી જતા અકસ્માત | 2025-01-17 12:00:15
ACB ટ્રેપઃ છાપીમાં રૂ.50 લાખની લાંચની માંગણી, 15 લાખ રૂપિયા લેતા સરપંચનો પતિ ઝડપાયો | 2025-01-16 21:23:42
જામનગરમાં ભયાનક અકસ્માત, સ્પીડમાં જઈ રહેલી કાર પલટી જતા 3 મિત્રોનાં ઘટના સ્થળે જ મોત | 2025-01-16 16:49:26