પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે
28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક વિસ્તારથી નીકળશે યાત્રા
સુરત: ચૂંટણી આવી રહી છે ત્યારે સમાજના નામે રાજકારણ કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ડાયમંડ નગરી સુરતમાં 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા ક્રાંતિ ચોકથી નીકળીને માનગઢ ચોક ખાતે આવેલી સરદાર પ્રતિમાએ સંપન્ન થશે. વિધાનસભા ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે શક્તિ પ્રદર્શન થઇ રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, જે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસની ઉજવણી કરાશે. 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી થશે. શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2022 ના રોજ તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે.
તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક વિસ્તારથી નીકળશે. સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મીનીબજાર, વરાછા રોડ સ્થિત પૂર્ણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો યાત્રામાં જોડાશે. આ યાત્રાની આગેવાની અલ્પેશ કથિરીયા કરશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51