Thu,25 April 2024,9:53 am
Print
header

પાકની નાપાક હરકત: 17 માછીમારો સાથે 3 બોટનું અપહરણ

પોરબંદર: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય બોટના અપહરણની વધુ એક ઘટના બની છે.  ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 17 માછીમારો સાથે 3 બોટના અપહરણ કરવામાં આવ્યાં છે.  પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા ભારતીય જળસીમા નજીકથી બોટના અપહરણ થતા હોવાની ઘટના બની છે.

અહેવાલ અનુસાર ગત રાત્રે 11 ફેબ્રુઆરીના રોજ ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી ત્રણ બોટો સાથે 17 માછીમારોના પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અપહરણ કરવામાં આવ્યાં છે.માહિતી અનુસાર અપહરણ થયેલી બોટોમાં બે પોરબંદરની બોટ અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળે છે.બોટ અપહરણની વધુ એક ઘટનાને લઈને સૌરાષ્ટ્રના માછીમાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

સમયાંતરે પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા ભારતીય જળસીમા નજીકથી બોટના અપહરણ થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેવામાં આવે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch