Mon,13 April 2026,12:51 pm
Print
header

ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા

  • Published By Panna Patel
  • 2026-04-07 18:26:31
  • /

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ બની રહ્યો છે, તે સાથે જ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તેજ બનાવી દીધી છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્ષત્રિય આંદોલન દરમિયાન સરકાર સામે મક્કમ લડત આપીને ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

7 એપ્રિલ ના રોજ રાજકોટમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પદ્મિનીબા વાળાએ આપનો ખેસ અને ટોપી ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ તેમને આવકારતા પક્ષ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પદ્મિનીબા વાળાએ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર જનતાની સેવા કરવાના ઉમદા હેતુ સાથે રાજકારણમાં આવ્યાં છે. જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠાવશે.

ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલન વખતે સરકાર સામે બાથ ભીડીને પદ્મિનીબાએ પોતાની નેતૃત્વ શક્તિનો પરિચય આપ્યો હતો, જેને હવે તેઓ રાજકીય ફલક પર લઈ જવા માંગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પદ્મિનીબાનું આમ આદમી પાર્ટીમાં જોડાવું એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch